________________
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
૦ જ્ઞાનની અપેક્ષાએ મતિ આદિ ચાર જ્ઞાનમાં ત્રણે દર્શન હેય. શકે પણ કેવળજ્ઞાનીને ક્ષાયિકદર્શન જ હેવાનું.
આવા અનેક ભેદ સ્વામિત્વ નકકી થઈ શકે. (૨) સમ્યગ્દશનના સાધન કયા?
૦ સમ્યગ્દશન નિસર્ગ અને અધિગમ વડે ઉત્પન્ન થાય છે. આ આ નિસર્ગ અને અધિગમની વાત અધ્યાય ૧ઃ સૂત્ર : ૩માં કહી છે. [અધિગમ એટલે યોગ્ય પ્રયત્ન એવો અર્થ અનો અભિપ્રેત છે.
૦ દર્શનને આવરતા કર્મોના ક્ષય–ઉપશમ કે પશમ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
૦ બાહ્ય સાધનમાં જાતિસ્મરણ જ્ઞાન ધર્મશ્રવણ–વેદનાને અનુભવ-જિનદર્શન પ્રતિમાદર્શન– જિનમહિમા કે દેવઋદ્ધિદર્શન વગેરે બાહ્ય નિમિત્તો થકી સમ્યગ્દર્શન થાય છે. (૪) સમ્યગ્દર્શનનું અધિકરણ શું?
૦ આત્મસંનિધાને–સમ્યગ્દશન જીવમાં હોય છે– બાહ્ય સંનિધાને સમ્યગ્દર્શન એક કે વધારે જીવ અથવા અજીવમાં હોય છે. ઉભય સંનિધાને સમ્યગ્દર્શન નો આધાર આમ તથા બાહ્ય બંને સંનિધામાં હોય છે.
૦ બીજી રીતે સમ્યગ્દર્શનનું. અત્યંતર અધિકરણ આત્મા પોતે છે બાહ્ય અધિકરણ ત્રસનાડી છે.
(૫) સમ્યગ્દશનની સ્થિતિ શું ? સમ્યગ્દષ્ટિના બે ભેદ છે (૧) સાદિ સાંત (૨) સાદિ અનંત
સમ્યગ્દશનની સાદિ સાત જ છે. તે જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. સમ્યગ્દષ્ટિમાં ૧૩ મે ગુણઠાણે સયોગી કેવળી અરિહંત, ૧૪માં ગુણઠાણા વતી અગી કેવળી અને સિદ્ધ પરમાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે.
(૬)સમ્યગ્દશનના ભેદ કેટલા?
૦ હેતની દષ્ટિએ દર્શન મોહનીય કર્મના ક્ષાદિકથી ઉત્પન થતું હોવાથી ક્ષાયિક-ઔપશમિક અને ક્ષાયે પશમિક ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org