________________
અધ્યાય-૧ સૂત્ર-૩૫
૨૨૫ છે તેમ કહેશે અને કઈ કહેશે કે શબ્દ ભેદથી અર્થભેદ નથી. જેમકે ચંદ્ર-સેમ-ઈન્દુ-વગેરે શબ્દો પર્યાયવાચી છે. માટે અર્થભેદ ગણેલ નથી. પણ પૂર્વે કહ્યા મુજબ કારક–લિંગ-વચનભેદ થાય તે અર્થભેદ ગણાશે.
જ્યારે સમભિદઢ નય એક પર્યાય વાચી શબ્દમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. - આ રીતે શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતા ચાલે છે તે શ્રેણુ શબ્દનયની. શાબ્દિક ભેદે અર્થભેદની વિચારણા કરતી બુદ્ધિ વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે અને રાજા નૃપતિ–ભૂપતિ વગેરેના વ્યુત્પત્તિ ભેદે અર્થ ભેદ કરે છે તે સમભિરૂઢ નય-સવિશેષ ઉંડાણમાં ટેવાયેલી બુદ્ધિ વ્યુત્પત્તિ ભેદે ઘટતે અર્થ વતત હોય ત્યારે જ તે શબ્દને તે અર્થમાં સ્વીકારે છે. આ રીતે રાજચિહ્નોથી જ્યારે શોભતું હોય ત્યારે જ તે રાજા એવું કહે છે તે એવંભૂત નય. | સાતે નયોમાં પૂર્વ-પૂર્વનય કરતા ઉત્તર–ઉત્તર નય વધુ સૂક્ષમ છે. પ્રથમના ત્રણ અથવા ચાર સામાન્ય ગ્રાહી છે. પછીના ચાર અથવા શબ્દાદિ ત્રણ ન વિશેષ ગ્રાહી છે. આ રીતે સાત પ્રકારે વિચાર સરણીની ગોઠવણને ય નિરૂપણુ-નયવાદ કે નય વિચાર ધારા કહી છે.
સમાપન :- આ રીતે જે ના કહ્યા તે પ્રત્યેક ને જુદી જુદી અપેક્ષાએ સ્વીકારવા પણ એક બીજાના વિરોધી માનવા નહીં. કેમકે એક પદાર્થોમાં જુદા જુદા વિચારનું મિશ્રણ જોવા મળે છે. જેમ કેસવે પદાર્થોમાં વિશેષતા ન હોવાથી સામાન્ય રીતે ન રૂપે એક છે.
સવે પદાર્થો જીવ-અજીવ રૂપે બે છે. સવે પદાર્થો દ્રવ્ય-ગુણુ–પર્યાય અપેક્ષાએ ત્રણ છે. સર્વે પદાર્થો ચાર દશનના વિષય તરીકેની અપેક્ષાએ ચાર છે.' સર્વે પદાર્થો પાંચ અસ્તિકાયની અપેક્ષા એ પાંચ છે. સવે પદાર્થો છ દ્રવ્યોની અપેક્ષા એ છ છે.
અહીં પદાર્થ તે તે જ છે માત્ર અપેક્ષા મુજબ વચન બદલાય છે. આ દરેક ના પિતા પોતાના વિષયમાં સ્વતંત્ર છે. છતાં તે બીજા નયને ખોટા ઠેરવતા નથી માટે તે નો કહ્યા જે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org