________________
અધ્યાય-૧ સૂત્ર-૩૫
૨૨૧ - જે નય વિશેષ તરફ દષ્ટિ કરીને દરેક વસ્તુને જૂદી જૂદી માને તે વ્યવહાર નય.
આ નય કહે છે કે વિશેષ સામાન્યથી અલગ નથી પણ વિશેષ વિના વ્યવહાર ચાલી શકતા નથી. જેમકે “દવા” એવા સામાન્ય શબ્દથી બધી દવા લઈ શકાય. પણ દવા આપો” એમ કહેવા માત્રથી ગમે તે રેગ માટે ગમે તે દવા ન અપાય. જે રેગ તેવી જ દવા અપાશે.
આ નયની વિચારણા ન કરે તે “દવા” એવા સામાન્ય સગ્રહથી કઈ રોગ માટે જ નહીં. “સ્ત્રીવ એવા સામાન્ય સંગ્રહથી જગતમાં કેઈ માતા-બહેન-પત્ની-પુત્રી આદિ વ્યવહાર ચાલશે જ નહીં.
(૪) ઋજુસૂત્ર નય -
૦ જે શબ્દથી વર્તમાન કાળે વિદ્યમાન પદાર્થોને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય તે જ્ઞાન-ઋજુ સૂત્ર નય.
૦ ઋજુ એટલે સરળ અને સૂત્ર એટલે બેધ. સરળ એ જે વર્તમાન તેની બેધ જેમાંથી થાય છે. તે જુ.
આ નય અતીત અને અનાગત કાળને સ્વીકારતા નથી. વસ્તુના. અતીતના પર્યાય નાશ પામ્યા છે અને અનાગત કાળના પર્યાયની ઉત્પત્તિ થઈ નથી તેથી વર્તમાન કાળને પર્યાય હોય તે જ સ્વીકારો તેવું આ નય માને છે.
૦ આ રીતે જે નય ભૂત અને ભવિષ્ય કાળને બાજુ પર મૂકી વર્તમાનને સ્પર્શ કરે તે ઋજુ સૂત્ર ય અર્થાત્ અત્યારે કોઈ શેઠાઈ ભેગવતો હોય તે જ તેને શેઠ કહે.
૨ કઈ ભાવિમાં રાજા થનારા એવા રાજકુમારને કદાચ અત્યારે રાજા કહે તે આ નય તેને સ્વીકારતું નથી. રાજા થાય ત્યારે જ રાજા.
૦ આ નય વર્તમાન ભાવને જ સ્વીકાર તે હેવાથી તેને ભાવ નય પણ કહે છે અને તે નામાદિ ચાર નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. (૫) શબ્દ નય :
જેવો અર્થ તે પ્રમાણે જે શબ્દોથી કહેવાય તે શબ્દ નય. આ શબ્દ નયના ત્રણ ભેદ છે, સાંપ્રત સમભિરૂઢ અને એવભૂત. ત્રણે ના શબ્દ પ્રધાન છે.-પર્યાયાર્થિક છે અને વર્તમાનકાલિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org