SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૩૫ ૨૧૯ મજૂર એમ બેલે છે કે “ચા” એ અમારું જીવન છે. ખરેખર “ચા” જીવન થોડું છે? પણ મજૂરને “ચા” જીવનના અંગભૂત કારણ સમાન લાગે છે. અહીં કારણમાં કાર્યને ઉપચાર થયે કહેવાય. રાજાના કુંવરના લગ્નને દિવસે આખું નગર આનંદમય બની ગયું. અહીં નગરજનના હર્ષને બદલે નગર આનંદમય થયું તેમ બેલાય છે તે આધેય એવા નગરજને આધારરૂપ નગરમાં ઉપચાર કરાય છે. આ બધાં ઉપચાર નિગમના દષ્ટાંત છે. સામાન્ય-વિશેષ તૈગમનયનૈગમન સામાન્ય તથા વિશેષ બંનેને અવલંબે છે. તેને આધાર લેકઢિ છે. જેમ લંડન ગયેલા કેઈ ભારતીયને પૂછે કે કયાં રહે છે? તે તે કહેશે કે હિન્દુસ્તાનમાં રહુ છું. હિન્દુસ્તાનમાંના કેઈ અન્ય પ્રદેશમાં હોય અને પૂછે કે તમે કયાંના? કહેશે કે હું મહારાષ્ટ્રને વતની. મહારાષ્ટ્રમાં કદાચ કઈ ગામડે ગયે હેય અને પૂછશે કહેશે કે હું મુંબઈને. મુંબઈમાં પાયધુની ઉપર મળી જાયને પૂછે કે ક્યાં રહે છે? તે કહેશે કાંદીવલી. છેવટે શંકર ગલી–શંકરગલીમાં મહાવીર એપાર્ટમેન્ટ ૨–બી. ૧૭૬ એ કઈ જવાબ આવશે. અહીં મહારાષ્ટ્રની અપેક્ષાએ હિન્દુસ્તાન સામાન્ય છે પણ મુંબઈ વિશેષ છે. મુંબઈની અપેક્ષાએ મહારાષ્ટ્ર સામાન્ય પણ કાંદીવલી વિશેષ. આ રીતે આ નિગમના સામાન્ય તથા વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. | ભાષ્યકારે જણાવેલા નગમનયના બે ભેદ, (૧) સર્વપરિક્ષેપી (૨) દેશ પક્ષેરિપી સર્વપરિક્ષેપી એટલે સામાન્ય, દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપ છે. જીવમાં જીવ એ સામાન્ય ધર્મ છે જે સદાકાલ સાથે રહેનારુ છે. જ્યારે તેના પર્યાય એ વિષય ધર્મ છે. નારક–તિર્ય–દેવ-માનવ એ જીવન પર્યાયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy