________________
વ્યા હતા. હેમને સં. ૧૬૭૦ માં આચાર્ય શ્રીવિજમસેનસૂરિએ પતિ પદ આપ્યું હતું. અને સં. ૧૬૭૬ ના પિષ સુદિ ૧૩ ના દિવસે શ્રીવિજ્યતિલકસૂરિએ શિહીમાં આચાર્ય પદ આપી હેમનું વિજયાણુંદસૂરિ નામ સ્થાપ્યું હતું. - આચાર્ય વિજયદેવસૂરિ સાગરના પક્ષમાં ભળી જવાથી સોમવિર્ય ઉપાધ્યાય વિગેરે સમુદાયે મળીને બીજા આચાર્ય-- વિજયતિલકસૂરિને સ્થાપન કર્યા હતા, હેમની પાટ ઉપર આ વિજાણંદસૂરિ થયા. વિજ્યાસુંદસૂરિને પહેલાંથી ચાલ્યા આવતા કલેશ તરફ બહુ ધૃણા થઈ હતી, અને તેથી તેમણે જેમ બને તેમ સંપ થાય, એવા પ્રયત્ન કર્યા હતા. કહેવાય છે કે જ્યારે વિજયદેવસૂરિ અમદાવાદ શહેરમાં હતા, તે વખતે તેઓ કાલુ પુરામાં આવ્યા હતા, વિજ્યદેવસૂરિએ પિતાના બધા મહેતા સ્ફોટા સાધુઓને હામે મોકલ્યા હતા. સાધુઓએ વિજ્યાણંદસૂરિને વંદણા કરી હતી, અને હેમને ધૂમધામથી શહેરમાં લાવ્યા હતા. શહેરમાં આવ્યા પછી વિજાણંદસૂરિએ પણ વિજયદેવરિને વંદણા કરી હતી. આ મેલ સં. ૧૬૮૧ ના પ્રથમ ચૈત્ર સુદ ૯ ના દિવસે થયો હતો. તે પછી બન્ને આચાર્યો સાથે વિચરતા હતા. વિયાણંદસૂરિ વિજયદેવસૂરિને ઘણે વિનય સાચવતા. આમ છેડો વખત ચાલ્યા પછી પાછી મમત્વની મારામારીથી અનેમાં ભેદ પડ હતો. અને પાછું પહેલાંની માફક ચાલવા લાગ્યું હતું. આથી વિજયાણુંદસૂરિને પણ પિતાની પાટ ઉપર વિજયરાજને સ્થાપન કરવાની ફર્જ પડી હતી.
વિજ્યાસુંદસૂરિએ તેર માસિક તપ, વીશ સ્થાનપદની આરાધના, સિદ્ધચકની ઓળી અને છૂટક છ અદૃમ વિગેરે તપસ્યાઓ ઘણી કરી હતી. વળી હેમણે એક વખત ત્રણ મહીનાને તપ કરી ધ્યાન પણ કર્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org