________________
(૪) .
વિજયસેનસૂરિ. આ આચાર્યની ૮, ૧૦, ૨૮, ૩૦ અને ૩૬ નંબરની સજઝાય છે.)
આ આચાર્યશ્રી શ્રીહીરવિજ્યસૂરિની પાટ ઉપર થયા છે. તેઓનો જન્મ સં. ૧૬૦૪ ના ફાગુણ સુદિ ૧૫ ના દિવસે માસ્વાડના નાડલાઈ ગામમાં એશવાલ વંશીય, વૃદ્ધશાખીય, શાહ કમ શાહ અને હેનાં ધર્મપત્ની કેડાને ત્યહાં થયે હતો. હેમનું મૂલ નામ સિંહ હતું. જયસિંહની હારે ૯ વર્ષની ઉમર થઈ, ત્યારે હેના પિતાએ દીક્ષા લીધી હતી. તે પછી બે વર્ષે એટલે અગીયાર વર્ષની ઉમરે સિંહે પિતાની માતાની સાથે સં. ૧૬૧૩ ના જ્યેષ્ઠ સુદિ ૧૧ ના દિવસે સૂરતમાં શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિજય દાનસૂરિએ હેમને હીરવિજયસૂરિના શિષ્ય બનાવ્યા હતા. દીક્ષા વખતે હેમનું નામ જયવિમલ રાખવામાં આવ્યું હતું. સં. ૧૬ર૬ માં ખંભાતમાં શ્રાવિકા પૂનીએ કરેલા ઉત્સવ પૂર્વક હેમને પંડિત પદ મળ્યું હતું. સં. ૧૬૨૮ ના ફાગણ સુદિ ૭ ના દિવસે ઉપાધ્યાયપદ પૂર્વક અમદાવાદમાં આચાર્યપદવી મળી હતી. આ વખતે મૂલા શેઠ અને વીપા પારેખે ઉત્સવ કર્યો હતો. સં. ૧૬૩૦ ના પિષ વદિ ૪ ના દિવસે પાટણમાં હેમની પાટસ્થાપના થઈ હતી.
આ આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ પિતાની વિદ્વત્તા અને પ્રભાવકતાથી બહુ ખ્યાતિ મેળવી હતી. અમદાવાદને સૂબો ખાંનખાના હેમના ઉપદેશથી બહુ પ્રસન્ન થયા હતા. હેમણે - ગશાસ્ત્રના પ્રથમ કલેકના સાતસ અર્થે કર્યાની હકીકત બહ સુપ્રસિદ્ધ છે. આજ તેઓની બુદ્ધિપ્રભાને સાક્ષાત્ પુરાવે છે.
''
:
*
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org