________________
આ હીરવિજ્યસરિઝને જેમ અકબર બહુ માન હતું, તેમ બીજા ન્હાના રાજાઓ અને કેટલાક પ્રાન્તના સૂબાઓ પણ હે. મને બહુ માન આપતા હતા. જહેવા કે, શીહીને રાજા મુલતાન ( કે જે દેવડા જાતિને ચહુઆ હતે ) પાટણને કલાખાન, મેડતાને ખાનખાના, કાસમખાન, આજમખાન અને ખંભાતને સુલતાન હબીબ જે વિગેરે સૂબાઓથી પણ હેમણે બહુ માન મેળવ્યું હતું.
શ્રીહીરવિજ્યસૂરિએ જહેમ પિતાની જિંદગીને વિદ્વાન આચાર્થ તરીકે પસાર કરી હતી, તેમ હેમનામાં સમભાવ અને બીજ એવા અપૂર્વ ગુણે હતા, કે હેના લીધે તેઓ બીજાઓના ઉપર ઘણે પ્રભાવ પાડી શકતા હતા. ત્યાગવૃત્તિ પણ હેમનામાં તહેવીજ ઉત્કૃષ્ટ હતી. તપસ્યાઓ કરવી અને કેઈપણ જાતના ૨સાદિમાં લાલુપતા ન રાખવી, એમાં તો તેઓ પિતાના જીવનની સાર્થકતા સમજતા હતા.
સૂરિજીમાં ગુરૂભક્તિને ગુણ પણ ખાસ દૃઢતાથી રહેલે હ. તે. પિતામાં આટલું બધું સામર્થ્ય અને પ્રભાવક શક્તિ પ્રાપ્ત થયેલી હોવા છતાં ગુરૂ પ્રત્યે તેઓની ભક્તિ હેવીને હેવી જ હતી. એક વખત વિજયદાનસૂરિએ હેમના ઉપર પત્ર લખે કે –“આ પત્ર વાંચી જલદી રવાના થઈ અહિં આવ. હીરવિજયસૂરિએ પત્ર પહોંચતાં જ વિહાર કર્યો. આ વખતે હેમને
માસી છ હતો. છનું પારણું કરવા જેટલી પણ સ્થિરતા હેમણે કરી નહિ. શ્રાવકે વિનતિ કરવા લાગ્યા, ત્યારે હેમણે એજ કહ્યું – ગુરૂની આજ્ઞા પ્રમાણે મહારે અત્યારેને અત્યારે વિહાર કરે જ જોઈએ. પારણું બહાર જઈને કરીશ” હેમણે વિહાર કર્યો અને જલદી જઈને ગુરૂને ભેટ્યા. ગુરૂએ જાહરે જાણ્યું કે- છન્નું પારારું કરવા પણ ન રહેતાં પત્ર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org