SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગુજરાતી સાહિત્ય પરિષદ ચડાવ્યા. જ્યારે એ સદ્દગત થયા ત્યારે ચાલુક્યની જાગીર અલેપ થઈ ગઈ. વિજયી સેનાઓનું વિશ્રામસ્થાન અદશ્ય થઈ ગયું. વીરતા, સંસ્કાર ને સામર્થ્યથી શોભતી લેક્સમૂહની કલ્પનામાંથી એક અને અવિજય ગુજરાત બહાર પડયું. આઠસે પચાસ વર્ષ વહી ગયાં છતાં હેમચંદ્રની એ કલપનામૂર્તિ હજી ગુજરાતી બોલતા લેકસમૂહની કલ્પનામાં ને જીવનમાં જીવે છે, દિને દિને વધારે જવલંત ને પ્રતાપી.. ફરીથી ગુજરાતના એક મોઢ વણિયાએ બળથી, બુદ્ધિથી, મુત્સદ્દીગીરીથી, આત્મબળથી ગુજરાતને અને સાથે હિન્દને નવું સ્વરૂપ આપ્યું છે. એની પ્રેરણાથી પ્રતાપ ને સંસ્કાર, સાહિત્ય ને સેવાને સાગર ઊછળ્યો છે. તેનાં તે નૈતિક શાસને વધારે સર્વવ્યાપી લિપિએ ફરી લખાયાં છે. સિદ્ધહેમે સરજાવ્યું તેને ગાંધીજીએ હરપુષ્ટ બનાવ્યું. ગુજરાત આજે ભવિષ્યને આંગણે ઊભું છે. એક વીર, એક સાહિત્યકાર ને એક મહાત્મા એ ત્રિપુટીની શક્તિ, બુદ્ધિ, ને વ્યવસ્થાશીલતાનું ઘણું. પ્રમુખપદ આપવા માટે હું આપને બધાને પુનઃ આભાર માનું છું. મારી એવી પ્રાર્થના છે કે, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રી. હૈમ સારસ્વત સત્ર ઉજવાય છે તેથી ગુજરાતમાં નવું જોમ આવે, ઓપ આવે ! આ પછી સત્રને સંગે આવેલા નિબંધનું સારરૂપે વાચન હાથ પર લેવામાં આવ્યું હતું, જેમાં મુનિ પુણ્યવિજયજી, ડે. ભટ્ટાચાર્યજી ડૉ. મણિલાલ પટેલ, શ્રી મોતીચંદ કાપડિયા, પ્રો. મંજુલાલ મજમુદાર, છે. કે. હિં. કામદાર, શ્રી રામલાલ ચુનીલાલ મોદી વગેરેનાં નિબંધ હતા. આ સાથે આજના દિવસને કાર્યક્રમ પૂરો થતાં બાકીનું કાર્ય બીજા દિવસ માટે રાખવામાં આવ્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy