SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ઉપરના છૂટાછવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ કુમારપાળ જૈન હતા એમ નક્કી થાય છે. પરમાત કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બને એટલે ત્યારથી તે પરમાહંત તરીકે ઓળખાય છે. કુમારપાળના કેટલાક જીવનપ્રસંગો પરથી આ વસ્તુ પુરવાર થાય છે, જેમકે – ૧. અર્ણોરાજે જૈન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને યોગ્ય દંડ કર્યો. (“ગુ. મા. ઈ.” પૃ. ૧૯૭, ટિપ્પણી). ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (‘ગુ પ્રા. ઈ.' પૃ. ૧૯૧). ૩. સીસેદણને પ્રસંગ કલ્પિત જ છે, છતાં ય કલ્પનાને ખાતર સાચું માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જેનધમાં ડતું. (ગુ. મા. ઈ.' પૃ. ૧૯૩). ૪. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણોને સજા પણ કરી હતી. (ગુ. મા. ઈ.' પૃ. ૨૦૦). ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં. વામરાશિને દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું (. પ્રા. ઈ.” પૃ. ૨૦૦). વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્થ મંદિર નામે કુમારવિહારની આશાતનાને કારણે થયે હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાને કારણે સોમનાથ પાટણના સેમેશ્વર મંદિરના મહંત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે મારી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થાયે (“ ગુ. પ્રા. ઈ.,” પૃ. ૨૦૦ ). ૧ આ વાત જૈન કે અજેન કે પ્રાચીન ગ્રંથમાં મળી નથી. આ કથા પહેલવહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબની ધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે. આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરો અવકાશ મળે છે. કુમારપાળ આ. હેમચંદ્રસૂરિ તથા તેમના ધર્મમાં કેવો રંગાયો હતો તેને નિંદરૂપે જાહેર કરવું એ એનું દયેય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy