SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર નિબંધસંગ્રહ ૨૫૩ === = ૧૦. ઉપરનાં પ્રમાણે કુમારપાળને ૩માતવરનું વિશેષણું આપવાની વિરુદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું ? ઉમાપતિવરલબ્ધપ્રસાદ” વિશેષણનાં કારણે કુમારપાળને માટે સાતિવરનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હેઈ શકે– ૧. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શૈવધર્મી હતા અને તે લેખકે પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત ઈશ્વરકૃપાની મહત્તા બતાવવી. રપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજા માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શૈવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સેમિનાથ પાટણમાં સોમેશ્વરે કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હેય. ૫ થથા સગા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમાહામ્મનો પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુપિકાના શબ્દો, તામ્રપત્રના વિશ્વતિ ઇત્યાદિ અવતરણ રૂપે છે. પુપિકાના લેખકે અજૈન છે. ૬. વલભી વંશના કેટલાક રાજાઓ જેન તથા બૈદ્ધ હતા છતાં તેને માટે પરમ માહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હોય. માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવત ભેદને લીધે ઊભી થઈ હોય એમ લાગે છે. દેવપાટણનો શ્રીધર સિદ્ધરાજને નથી બન્યું, નથી સમકાલીન કે નથી (ગડ) પૂજારી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લોક કર-૪૩માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy