SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ગુજરાતી સાહિત્ય પરિષદ આ વિશેષણ ભિન્ન ભિન્ન લેખોમાં ઘણું ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેને ઉલ્લેખ સં. ૧૨૦૮માં કવિચક્રવર્તી શ્રીપાળે એક દિવસમાં રચેલ વાનગરની પ્રશસ્તિમાં ઉપમારૂપે છે. ત્યારપછી રત્નપુર, કિરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના શૈવભક્તોએ એ બિરદને શિલાલેખમાં ઉતાર્યું. રત્નપુરના રાજાએ તે પિતાને અંગે પણ “ શંભુપ્રસાદાવાણ” ઈત્યાદિ લખાણ કર્યું છે. અજયપાલ રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના શૈવ માંડલિક રાજા વિજજલદેવે પિતાના લેખમાં આ બિરુદને કોતરાવ્યું છે. વખત જતાં તે ગુર્જરેશ્વર ભીમદેવના કોઈ કાઈ દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે— સં. ૧૨ ૫૬, (if ૮) પરમાર-મહારાગાધિરાન-પરમેશ્વ-ત્રૌઢ(૧)પ્રતાપ-૩મપતિવધવા-મુમિરણાંજરિનિર્વતાસા (૧૦) भरीभूपाल-श्रीकुमारपालदेवपादानुध्यत-परमभट्टारक-महाराजाधि (११) राजपरमेश्वर-परममाहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्प-कलिकाल (१२) निष्कलंकावતાપિતરામપાર્થ રીતસારરક્ષ#ાપા–શ્રીમ=ચ (૧૩) વાવ ... ... સં. ૧૨૬૩ના લેખમાં (૬, ૭) મતિવરપ્રસાદ પ્રૌઢપ્રતા ... ૧ કવિ શ્રીપાલ એ પાટણનો વતની ધનાઢય હતા. તેમ મહાકવિ પણ હતો. મહારાજા સિદ્ધરાજ તેને કવીન્દ્ર તથા ભ્રાતા કહીને બોલાવતા હતા. તે જાતે પિરવાડ અને ધર્મે જૈન હતો. ખાસ કરીને વાદિદેવસૂરિ અને તેના સમુદાયના સાધુઓનો તે ઉપાસક હતો તેને એક સ્વતંત્ર ઉપાશ્રય હતો, જેમાં ઉક્ત સાધુઓ આવી ઊતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચિતોડના રાણું જૈત્રસિંહદ્વારા તપાનું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત કરનાર તપગચ્છના આદિમ આચાર્ય શ્રી જગજીંદ્રસૂરિના મોટા ગુરુ શ્રી હેમચંદ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “નાબેયનેમિદ્વિસંધાન” કાવ્ય બનાવ્યું છે, જેનું સંશોધન કવિચક્રવતી શ્રીપાલે એક દિવસમાં જ કર્યું હતું. તથા એ જ આચાર્યને ગુરુભ્રાતા શ્રીસેમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં તેના ઉપાશ્રયમાં કુમારપાળ પ્રતિબંધ ” કાવ્ય બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયનો પ્રબંધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતો. ૨ આ તામ્રપત્રમાં સં. ૧૧૯૧ કા. શુ. ૧૧ સેમ અને કા. શ. ૧૩ ને બુધવાર કોતરેલા છે, પરંતુ પ્રો. કે. એલ. છગેના પત્રક પ્રમાણે તે તિથિએ તે વાર આવતા નથી. સં. ૧૨૩૨ માં તે તિથિએ વારે આવે છે. (જુઓ “ગુ. એ. લે.” ચૌલુક્ય વિભાગ, પૃ. ૭૩ માંને પરિચય). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy