SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ કે એની ગોઠવણ ખૂબ પદ્ધતિસરની અને વૈજ્ઞાનિક રીતે થયેલી છે. એને માટે છે. બુરે અને ડે. કોહેને બહુ ઉચ્ચ પ્રકારના અભિપ્રાયો દર્શાવ્યા છે. એ વ્યાકરણ પર ત્યારપછી જુદીજુદી ઘણી ટીકાઓ રચાઈ છે અને અત્યારે પણ અનેક ટીકાઓ લભ્ય છે. આ વ્યાકરણના આઠ અધ્યાયના ચાર ચાર પાડે છે. તેને છેડે એક એક શ્લોક મૂકી બત્રીશ કલેક હેમચંદ્રાચાર્યે રજૂ કર્યો છે અને છેવટે પ્રશસ્તિના ત્રણ લેક ઉમેરી એ એતિહાસિક પાંત્રીસ શ્લેકની સંખ્યા પૂરી કરી છે. * એ પાંત્રીસ લેક આ લેખમાં મૂળ, અર્થ અને વિવેચન સાથે આપવામાં આવ્યા છે. તે પરથી જણાશે કે એના પ્રથમના આઠ કલેકામાં સોલંકી વંશના રાજ્યસ્થાપક મૂળરાજદેવનું વર્ણન કરવામાં આવ્યું છે, નવ, દશ અને અગિયારમા લેકમાં અનુક્રમે ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજનું વર્ણન એક એક લેકમાં કર્યું છે. પાંચમાં સોલંકી રાજા ભીમદેવ માટે બારથી સાળ સધીના પાંચ શ્લેક લખ્યા છે. જ્યારે છઠ્ઠા કર્ણદેવ માટે સત્તરો એક લેક લખ્યો છે, અઢારમા થી જયસિંહ સિદ્ધરાજ મહારાજનું વર્ણન એના શર્યના યશોગાન સાથે આપ્યું છે અને એની રાજ્યપદ્ધતિ પર વિવેચન કર્યું છે. એને માટે અઢારથી પાંત્રીશ સુધીના સર્વ શ્લોકે આલંકારિક ભાષામાં મૂક્યા છે. માત્ર બત્રીશમા શ્લોકમાં સોલંકી વ્યવસ્થાપક મૂળરાજ દેવને ફરી વાર યાદ કર્યા છે, પણ તે એ વંશમાં થયેલા મહાન જયસિંહ રાજાધિરાજને યાદ કરવા માટે જ છે. * એમાંથી ૨૮ લૅ, સંવત ૧૯૬૨માં શેઠ મનસુખભાઇ ભગુભાઇ તરફથી પ્રકટ થયેલા “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' (બહત્તિ અને લધુન્યાસ સાથે)ને પ્રત્યેક પાદને અંતમાં ક્રમશઃ એકેક તરીકે પ્રકટ થયેલા છે. તે પછીના ૭ કો, “બોમ્બે ગવર્નમેન્ટ સંસ્કૃત સિરીઝ’ તરફથી ઈ. સ. ૧૯૦૦ (વિ. સં. ૧૯૫૬)માં પ્રકટ થયેલા “કુમારપાલચરિતના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત થયેલા ઉપર્યુક્ત “શબ્દાનુશાસનના આઠમા અધ્યાયમાં (ત્રણ પાદના અંતમાં એકેક તથા છેલ્લે ચાર મળી સાત) પ્રકાશિત થઈ ગયેલા છે. સંવત ૧૯૮૨માં પ્રકટ થયેલ “પુરાતત્ત્વ” પુ. ૪થામાં પં. બેચરદાસના લેખ “ગુજરાતિનું પ્રધાન વ્યાકરણના પરિશિષ્ટ ૩ (પૃ. ૯૩ થી ૯)માં પણ ઉપર્યુક્ત ૩૫ કે છપાયા છે અને તે પછી પૃ. ૯૭ થી ૧૦૦માં તેને અનુવાદ છપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy