SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ એના ૨૦ સ્તવ-વિભાગ પાડવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે:-(૧) પ્રસ્તાવના–સ્તવ, (૨) સહજાતિશયવર્ણન-સ્તવ, (૩) કર્મક્ષય-જાતિશયવર્ણન-સ્તવ, (૪) સુકૃતાતિશયવર્ણન-પ્રકાશ, (૫) પ્રાતિહાર્યવર્ણન-તવ, (૬) વિપક્ષનિરાસ-પ્રકાશ, (૭) જગકર્ત ત્વનિરાસ-પ્રકાશ, (૮) એકાંતપક્ષનિરાસ-સ્તવ, (૯) કલિપ્રશમ–સ્તવ, (૧૦) અદ્દભૂત-રતવ, (૧૧) અચિંત્યમહિમ-સ્તવ, (૧૨) વૈરાગ્ય-સ્તવ, (૧૩) વિશેષનિરાસ-સ્તવ, (૧૪)ોગશુદ્ધિ-સ્તવ, (૧૫) ભક્તિ-સ્તવ, (૧૬) આત્મગહ-સ્તવ, (૧૭) શરણ-સ્તવ, (૧૮) કઠોર-સ્તવ, (૧૮) આશા-સ્તવ અને (૨) આશીસ્તવ. આ ગ્રંથના ૧૮૬ અનુષ્યભ શકે છે. ભાષા અતિ મધુર અને યાદ રહી જાય તેવી છે. એના પર અન્ય લેખકોએ સંસ્કૃત ટીકા કરી છે. ગ્રંથ મુકિત છે. ખાસ વાંચવા યોગ્ય છે. (૧૬) બે બત્રીશીઓ” (૧) “અગવ્યવદિકા' (૨) “અન્ય વ્યવદિકા.” આ બત્રીશીઓ વિવિધ છંદમાં છે. બંનેના નામ પ્રમાણે બત્રીશ કો છે. પ્રથમ બત્રીશીમાં જૈન ધર્મ ખોટો છે એમ કહેનારની વાતને ગ્રંથક્ત જૂઠી પડે છે અને બીજી બત્રીશીમાં અન્ય દર્શનકારો પોતાના મત સત્ય છે એમ કહે છે એ વાત પર ચર્ચા કરી એના જેને તરીકે જવાબ આપે છે. આ બીજી બત્રીશી પર મલિષેણે “યાદ્વાદમંજરી” નામની ૩૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા લખી છે, જે “બેબે સંત સીરિઝ'માં (નં. ૮૩) છે. આનંદશંકર બા. પ્રવે વિસ્તૃત ઉપક્રવાત અને ટિપણી સાથે બહાર પાડી છે. બત્રીશ કલેકમાં સર્વ દર્શનને તપાસી લેવા અને તેમાં એક અક્ષર પણ બીનજરૂરી કે વગર અર્થને આવવા ન દેવો એમાં ગ્રંથકારને ભાષા પર કાબૂ, દર્શનોને અભ્યાસ અને સંસ્કારસ્વામીત્વ દાખવે છે. “સ્યાદ્વાદમંજરી' ન્યાયને અદ્ભુત ગ્રંથ ગણાય છે અને એનું માન હેમચંદ્રાચાર્યને યોગ્ય શબ્દોમાં ટીકાકાર આપે છે. પ્રકીર્ણ સપ્તસંધાન કાવ્ય” આ નામનું કાવ્ય શ્રી હેમચંદ્રાચાર્ય બનાવ્યું છે એ ઉલ્લેખ મળે છે. ગ્રંથ પ્રાપ્ત થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy