SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. એમાં શબ્દોની નર, નારી અને નાન્યતર જાતિ પર વિવરણ છે. કેટલાક શબ્દ નર નારી, કેટલાક નારી નાન્યતર અને કેટલાક નર નાન્યતર જાતિના હોય છે તે તેમાં વિસ્તારથી બતાવ્યું છે. આ ગ્રંથ પર હેમચંદ્રાચાર્યે પોતે અવચૂરિ લખી છે. અવચૂરિ સહિત મૂળગ્રંથ યશોવિજય ગ્રંથમાળા (નં. ૨ )માં છપાયેલ છે. પૃષ્ઠ ૧૬૦ છે. એને છેડે ગ્રંથકર્તા લખે છે-“મહાન શબ્દવિષયની લિંગવિધિ સંક્ષેપમાં અને બતાવી છે. જે અહીં કહ્યું ન હોય તે સજજન માણસેએ લેકથી જાણી લેવું.” એકને એક શબ્દ એક અર્થમાં એક જાતિને હોય તે જ શબ્દ બીજા અર્થમાં બીજી જાતિને હોય તે પણ આ ગ્રંથમાં બતાવ્યું છે. આ ગ્રંથ પદ્યબંધ છે, ગેય છે અને અવચૂરિ સંસ્કૃત ભાષામાં છે. આ ગ્રંથને “શબ્દાનુશાસનને એક સ્વતંત્ર વિભાગ ગણી શકાય. (૪) “અનેકાર્થસંગ્રહ’ કોષ ગ્રંથને આ બીજો વિભાગ છે. “અભિધાનચિંતામણિમાં એક અર્થવાચી અનેક શબ્દને સંગ્રહ કર્યો તેમ આ ગ્રંથમાં એક શબ્દના અનેક અર્થ સ્પષ્ટ કરીને બતાવ્યા છે. આ ગ્રંચ પર હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્ર ટીકા રચી છે. પઝવૃત્તિના લેક ૬૦૦૦ છે અને મહેદ્રસૂરિની વૃત્તિના લેક ૧૨૦૦૦ છે. આ ગ્રંથ મુદ્રિત થઈ ગયો છે. (૫) “દેશ્યશબ્દસંગ્રહ (દેશીનામમાળા-રણવલિ') એકાર્યવાચી શબ્દો, એક શબદના અનેક અર્થો લખ્યા એટલે આખી સંસ્કૃત ભાષાની ચર્ચા થઈ ગઈ અને મેષ લગભગ પૂરો થયો, પણ હેમચંદ્રાચાર્યને તે દેશી શબ્દનો સંગ્રહ પણ કરે હતે તે એમણે આ ગ્રંથમાં કર્યો. વ્યાકરણના નિયમ પ્રમાણે જે શબ્દો સિદ્ધ ન થઈ શકે, છતાં ભાષામાં વપરાતાં હોય તેને અત્ર સંગ્રહ કરવામાં આવ્યો છે. આ શબ્દોની “રયાવલિ' અતિ મહત્વની છે. અને હિંદુસ્તાનની ભાષાના અભ્યાસને અને તેમ જ જૂની શિધઓળને અંગે અતિ મહત્વને ભાગ ભજવે છે. આ ગ્રંથ મુદ્રિત છે. આ રીતે શબ્દશાસ્ત્રના વિષયને આગળ ધપાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy