SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ (૨) “અભિધાનચિંતામણિ” (કેષ-નામમાળા” પર ટીકા) આ ગ્રંથની જુદી જુદી પાંચ આવૃત્તિઓ મુકિત થઈ ગયેલ છે. આ કૃતિ સં. ૧૨૦૦ના અરસામાં સિદ્ધરાજ જયસિંહના મરણ બાદ થઈ હોય તેમ અનુમાન થાય છે. એ શબ્દશાસ્ત્રનું આરંભેલ કાર્ય પૂર્ણ કરવા લખાયેલ ગ્રંથ હોવા છતાં એની સાથે કે એની અંદર કોઈ રાજાનું નામ જોડાયેલું નથી, તેથી જયસિંહના મરણ બાદ અને કુમારપાળ રાજ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલ ગુરુસ્થાન પહેલાં– એટલે કે વચ્ચેના સમયમાં આ કૃતિ થયેલ હોય એમ સંભવ રહે છે. એ આકર ગ્રંથ યશવિજય ગ્રંથમાળા તરફથી ટીકા સહિત છપાયેલ છે. તેના ૬૨૦ પૃષ્ઠ છે. એમાં અધૂરા સૂચિપત્રના ૧૫ર પૃષ્ઠ છપાયેલાં છે. આ ગ્રંથના છ કાંડ છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિય, પાંચમામાં નારકે અને છઠ્ઠામાં સાધારણ. એક અર્યવાચી શબ્દોને આમાં સંગ્રહ છે. દાખલા તરીકે દેવ શબ્દના અર્થ માં સુપર્વ, સુર, નિર્જર, ભુ, બહિર્મુખ, અનિમિષ દેવતા, નાકિન , નાક, લેખ, વિગેરે ૨૭ શબ્દો બતાવ્યા છે. આમાં વૈગિક, યોગરૂઢ અને રૂઢ શબ્દો પષ્ટ કર્યો છે. છઠ્ઠા કાંડમાં અવ્યયની ચર્ચા કરી તેનાં સ્થાન બતાવ્યાં છે. નામમાળા ' ગ્રંથ પર હેમચંદ્રાચાર્યે આ “અભિધાનચિંતામણિ” નામની ટીકા રચી છે. ગ્રંય ઘણો વિશાળ છે. શબ્દાનુશાસન' પછી આ ગ્રંથ રચે છે એ એના પહેલા શ્લોકથી જ જણાઈ આવે છે. મૂળ ગ્રંથનું નામ “નામમાળા” છે પણ એ પ્રથમ શ્લોકથી જ સમજાય છે. આ ગ્રંથની શરૂઆતમાં વ્યાકિ, વાસુકિ અને ધનપાળ વિગેરે પૂર્વ પતિને આધાર બતાવી ગ્રંથનો મહિમા વધાર્યો છે. (૩) “હેમલિંગાનુશાસન શબ્દવિષયને એક વિશેષ આકર ગ્રંથ તે “લિંગાનુશાસન' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy