SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ - કુમારપાલની આવી અહિંસાપ્રવર્તક સાધનાની સફળતા જોઈને, બ્રાહ્મણ પંડિત શ્રીધરે એક વિશેષ પ્રસંગે હેમાચાર્યની સ્તુતિ કરતાં पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्ता जीवरक्षा ठराधात् यस्यासाद्य वचस्सुधां स परमः श्रोहेमचन्द्रो गुरुः ।। “જે વખતે સાક્ષાત ભગવાન મહાવીર તો જેને ધર્મબોધ કરનાર હતા અને અભયકુમાર જેવો પ્રજ્ઞાવાન પુત્ર સ્વયં મંત્રી હતા તે રાજા શ્રેણિક પણ જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા, જેના વચનામૃતનું પાન કરી કુમારપાલ અનાયાસરીતે સાધી શકો, તે હેમચંદ્ર ખરેખર એક મહાન ગુરુ છે.” સ્વયં આચાર્ય હેમચંદ્ર પણ, ઉપર કહેલા “મહાવીરચરિત્ર” નામના પુરાણગ્રંથમાં, મહાવીરના મુખેથી ભારી રાજા કુમારપાલ વિષે ભવિષ્યકથનરૂપે વર્ણન કરતાં લખે છે કે पांडुप्रभृतिभिरपि त्यक्ता या मृगया नहि । स स्वयं त्यक्ष्यति जनः सर्वोऽपि च तदाज्ञया । हिंसानिषेधके तस्मिन् दूरेऽस्तु मृगयादिकम् । अपि मत्कुट युकादि नान्त्यजोऽपि हनिष्यति ।। तस्मिन्निषिद्धे पापर्धावरण्ये मृगजातयः ॥ सदाऽयविघ्नरोमन्था भाविन्यो गोष्टधेनुवत् ।। जलचरस्थलचरखेचराणां स देहिनाम् । रक्षिष्यति सदा मारि शासने पाकशासनः ।। ये चाजन्मापि मांसादास्ते मांसस्य कथामपि । दुःस्वप्नमिव तस्याज्ञावशान्नेष्यन्ति विस्मृतिम् ॥ ભગવાન મહાવીર પિતાના શિષ્યને કહે છે, “ભાવિકાળમાં જે કુમારપાલ રાજા થનાર છે તેની આજ્ઞાથી સર્વ મનુષ્ય મૃગયા એટલે શિકારને ત્યાગ કરશે કે જે મૃગયાને પાંડુ જેવા ધર્મિષ્ઠરાજાઓ પણ છોડી – છોડાવી શક્યા ન હતા. હિંસાનો નિષેધ કરનાર એ રાજાના સમયમાં શિકાર કરવાની વાત તે દૂર રહી, માંકણું અને જૂ જેવા નેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy