SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી આ પ્રજામાંના જે લેકે માંસાહારી હોય છે તેઓ પણ એક રીતે જીવહિંસાને ધૃણાસ્પદ તે માને છે જ. કારણ દયા ધર્મની ભાવના અપણી પ્રજામાં ઘણું સિકાઓથી રૂઢ થઈ ગએલી છે. “અહિંસા પરમો ધર્મ અને સિદ્ધાંત ભારતના બધા ધર્મોમાં વધતેઓછે અંશે સ્વીકારવામાં આવે છે. તેથી માંસાહારી મનુગે, જીહુવા-ઈન્દ્રિયની લોલુપતાને લઈને આવી રાજાશાને મનથી ભલે પ્રિય ન ગણે પણ જાહેર રીતે તેને વિરોધ કરવા જેટલી નૈતિક બાજુ તેમની તરફ ન હોવાથી તેઓ તે વિષે કશું ન બેલી શકે. પણ ધર્મના બહાને જીવહિંસા કરનારાઓની સ્થિતિ જુદી હોય છે. તેઓની હિંસાને ધર્મશાસ્ત્રોનું, સનાતન પરંપરાનું, ચાલી આવતી રૂઢિનું અને જનતામાં વ્યાપેલી અંધશ્રદ્ધાનું યથેષ્ઠ સમર્થન હોય છે; તેથી, તેઓ તરફથી, રાજાની આવી જાતની આજ્ઞા સામે થવાની હિલચાલ થાય એ સર્વથા અપેક્ષિત જ હોય. પરંતુ, ગુજરાતની કેટલીક સામાજિક વિશિષ્ટતાને લઈને તેમ જ તે કાળે રેનની સર્વોપરિતાને લઈને, એ વર્ગ તરફથી પણ એ આજ્ઞાના વિરોધને કશે વિશેષ ઉપદવ કુમારપાલને નડ્યો નહિ. છતાં વિરોધનો સર્વથા અભાવ પણ નહોતા જ. કેટલાક પ્રબંધકારોના કથન ઉપરથી જણાય છે કે, પાટણની અધિષ્ઠાત્રી કંટેશ્વરી માતાના રાજપુજારીઓએ, છેવટે, નવરાત્રિના દિવસોમાં તો નગરદેવીની પશુબલિદ્વારા પૂજા કરવી જ જોઈએ; નહિ તે દેવી કુપિત થશે અને તેના કેપના પ્રતાપે રાજા અને રાજ્ય ઉપર ભયાનક આપત્તિ આવી પડશે, એ ભય બતાવી, કુમારપાલને એકવાર પોતાની પ્રવૃત્તિમાં સંદેહશીલ બનાવી દીધે હતો. રાજાએ પોતાના મહામાત્ય વાભટ્ટ – જે કુલપરંપરાથી જૈન હતે --ની એ બાબતમાં સલાહ માંગી. મહામાત્ય ગમે તેટલો શૂરવીર અને રાજનીતિનિપુણ હતો છતાં છેવટે હતા તે વણિક જ. રખેને એ માતા ખરેખરી કે પાયમાન થાય અને રાજા તથા રાજ્ય ઉપર જે સાચે જ કોઈ આફત ઊતરી પડે તે પછી શું કરાય, અને તેમ થવાથી ધર્મ અને કામ બંનેની ભારે અપકીર્તિ થાય – આવી આવી કેટલીક કલ્પનાઓ કરી દાક્ષિણ્યતાથી અસ્પષ્ટ સ્વરે અને અવ્યક્ત ભાવે તેણે શબ્દો ઉચ્ચાર્યા કે વ! સીયસે એટલે કે પશુબલિ દેવાય! આવું હોય ત્યાં બીજું શું કરાય. પણ કુમારપાલ તે ક્ષત્રિય હતે. “પ્રાણ જાય પણ આન ન જાય' એ સંસ્કારને પાર્થિવપિંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy