SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ મૃગાદિને શિકાર ન કરવા; મદ્ય અને માંસનું સેવન ન કરવું; પરિણીત પત્ની સિવાય અન્ય કાઈ સ્ત્રીસાથે કામાચાર ન સેવવા; દરાજ જિનપ્રતિમાની પૂજાઅર્ચા કરવી અને હેમચંદ્રાચાર્યનું પાદવંદન કરવું; અષ્ટમી અને ચતુર્દશીના દિવસે સામાયિક અને પૌષધ આદિ વિશેષત્રતનું પાલન કરવું; રાત્રિએ ભાજન ન કરવું; ઇત્યાદિ ઇત્યાદિ. આવી જાતની પ્રતિજ્ઞા જાતે લઈ તે પછી એણે પેાતાના રાજ્યમાં, ખીજા ખીજા લેાકા પણ પાતે સ્વીકારેલા ધર્માંના કેટલાક મેાટા નિયમાનું પાલન કરે તે માટે, તેવી કેટલીક રાજાનાએ પણુ બહાર પાડી. તેમાં સૌથી મુખ્ય આજ્ઞા હતી જીવહિંસાપ્રતિબંધ વિષેની. ખાપણા દેશમાં ઘણા પ્રાચીન કાળથી એ કારણે જીવહિંસા થતી આવે છે: એકતા ધર્મના નિમિત્તે એટલે યજ્ઞયાનાદિ ધાર્મિક કર્માંકાંડ અને દેવી-દેવતાઓની બલીપૂજાનિમિત્તે; અને બીજી ખારાક નિમિત્તે. કુમારપાલે એ બંને પ્રકારની જીવંઠુંસાને નિષેધ કરવા માટે રાજાના જાહેર કરી. હેમચંદ્રાચાય ના ‘દ્વાશ્રય' કાવ્યમાં વણ ન ઉપરથી જણાય છે કે માંસાહાર માટે થતી જીવહિ ંસાને નિષેધ તા, કુમારપાલે, કદાચિત્ શ્રાવકધર્મ'ના વ્રતે! લીધા પહેલાં જ જાહેર કરી દીધા હતા. શાર્ક ભરીના ચાહમાન રાજા અર્ણોરાજ અને માલવાના પરમાર રાજા બલ્લાલદેવના પરાજય કર્યા પછી એક દિવસે કુમારપાલે રસ્તામાં કાઈ દીન દરિદ્ર દેખાતા ગામડિયા માસને બકરાં આનંદ એયાર પશુઓને કસાઈખાને તાણી જતા જોઇ, તેની સાથે તે વિષેની કેટલીક પૂછપરછ કરી; અને તે વસ્તુસ્થિતિની જાણ થતાં, એ પામર મનુષ્યની અને પશુઓની દશા જોઈ રાજાના મનમાં ખેાધિસત્ત્વની જેમ કરુણાભાવ ઉત્પન્ન થયેા. તેના મનમાં વિચાર આવ્યેા ૪ – દુષ્ટજાતિવાળા અને કૂતરા જેવા, ધવિમુખ આ લેાકેા પોતાના નઠારા પેટ માટે જે આવા પ્રાણીઓના જીવ લે છે, તેમાં ખરેખર શાસન કરનારનેા જ દુવિવેક છે. કારણ કે જેવા રાજાના ગુણુ તેવા જ લેાકેાના ગુણુ થાય છે. મને ધિક્કાર છે કે હું માત્ર મારા શરીર માટે જ પ્રજા પાસેથી કર લઉં છું પણ પ્રજાના રક્ષણ માટે નહિ – ઇત્યાદિ વિચાર કરી તેણે પેાતાના અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કાઈ પશુ જીવ'સા કરે તે તેને ચેાર અને વ્યભિચારી કરતાં પણુ વધારે સખ્ત શિક્ષા કરવી. Jain Education International ૧૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy