SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમને સુપ્રતિષ્ઠિત બનાવ્યા. ગુજરાતની ગરિમાને કુમારપાળ ખરેખર ગુરુશિખર હતું. એના સમયમાં ગુજરાતીઓ વિદ્યામાં અને વિભુતામાં, શૈર્યમાં અને સામર્થમાં, સમૃદ્ધિમાં અને સદાચારમાં, ધર્મમાં અને કર્મમાં ઉત્કર્ષના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા હતા. એને રાજ્યમાં, પ્રકૃતિકાતર વૈશ્યા પણ મોટા સેનાપતિઓ થયા, દ્રવ્યલેલુપ વણિજને પણ મહાકવિઓ થયા, અને ઈપરાયણ બ્રાહ્મણે તથા નિન્દાપરાયણ શ્રમણો પણ પરસ્પર મિત્રો થયા. વ્યસનાસક્ત ક્ષત્રિયો પણ સંયમી સાધકે થયા અને હીનાચારી શદ્રો પણ સારી પેઠે ધર્મશીલ થયા. રાજાએ વિશિષ્ટ ઉત્સાહપૂર્વક ધર્માતર સ્વીકાર્યા છતાં ધાર્મિક સહિષ્ણુતા જેટલી એના રાજ્યમાં જોવામાં આવતી હતી તેટલી બીજા કોઈના રાજયમાં નહિ. ભારતના પુરાતન ઇતિહાસમાં કદાચિત એ એક જ પહેલો અને છેલ્લો દાખલો હશે કે જેમાં હેમચંદ્ર જે જૈનધમન. સૌથી મહાન આચાર્ય શિવમંદિરમાં જઈ, શ્રદ્ધાળુ શૈવની માફક-- यत्र तत्र समये यथा तथा योऽसि सोऽसि भिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन्नमोऽस्तु ते॥ આવી અદ્બુત કલ્પના અને અનુપમ રચના દ્વારા શિવની સ્તુતિ કરે છે; તથા ગંડ બહસ્પતિ જેવો મહાન શૈવ મઠાધીશ જેને આચાર્યના ચરણમાં વંદન કરી चतुर्मासोमासीत्तव पदयुगं नाथ निकषा कषायप्रध्वंसाद् विकृतिपरिहारबतमिदम् । इदानीमुद्भिद्यन्निजचरणनिर्लोठितकले लक्लिन्नैरन्नेर्मुनितिलक वृत्तिर्भवतु मे ॥ આવી સ્તુતિદ્વારા, એક સુશિષ્યની જેમ અનુગ્રહની યાચના કરે છે. ઇતિહાસના સેંકડે પ્રબંધો તપાસતાં, તેમાં માત્ર આ એક જ એ રાજા જડી આવે છે કે જે કુલપરંપરાપ્રાપ્ત “ઉમાપતિવરલબ્ધઐઢિપ્રતાપ” બિરુદમાં અભિમાન ધારણ કરતો છતાં પણ સ્વરુચિસ્વીકૃત પરમાર્વત” બિરુદથી પિતાને કૃતકૃત્ય માને છે. જે ભાવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy