SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ૧૩૯ હૈમબહદ્દવૃત્તિ” પર વ્યાખ્યા લખનાર દેવેન્દ્રને ડે. બુલ્હરે ઉદયચંદ્રના શિષ્ય માન્યા છે. ૩૦ ૭. યશચન્દ્ર યશશ્ચન્દ્રને લખેલો કોઈ પણ ગ્રન્થ હજી સુધી મળેલો નથી. ૩૫ પણ પ્રબધેમાં તેમના વિષેના ઉલ્લેખો અનેકવાર આવે છે તે ઉપરથી સમજાય છે કે તેઓ ઘણો વખત હેમચન્દ્રસૂરિની સાથે રહેતા હતા. “ પ્રબન્ધચિન્તામણિમાં બે સ્થળે યશશ્ચન્દ્રગણી વિષેનો ઉલ્લેખ મળે છે. એક સ્થળે જણાવેલું છે કે, એકવાર દેવપૂજનના સમયે હેમચન્દ્ર કુમારપાળના મહેલમાં પહોંચ્યા ત્યારે યશશ્ચન્દ્ર તેમની સાથે હતા. ૩૨ બીજે સ્થળે એમ જણાવેલું છે કે આંબડ મહેતાએ ભરૂચમાં પિતાના પિતાના કલ્યાણ અર્થે શકુનિકાવિહાર બંધાવ્યું હતો, તેની ઉપર ધજા ચડાવવાના ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતાં મિથ્યાત્વીઓની દેવીના દેષમાં આવી જવાને કારણે મહેતા આખર સ્થિતિએ પહોંચી ગયા હતા, તેનું નિવારણ કરવા માટે હેમચન્દ્ર તથા યશશ્ચન્દ્ર પાટણથી ભરૂચ આવ્યા હતા અને દોષનું નિવારણ કરી પાછા પાટણ ગયા હતા. આ ઉપરાંત પ્રભાચન્દ્રસૂરિના “પ્રભાવકચરિત માં ૩૪ તથા જિનમંડનગીકૃત કુમારપાલપ્રબંધ'માં પણુ યશશ્ચન્દ્રને નામોલ્લેખ મળે છે. બાલચ બાલચન્દ્રના ગુહ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા ૩૦. “લાઇફ ઓફ હેમચંદે' (સીધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૮૧. ૩૧. મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ'ના કર્તા શ્રાવક યશશ્ચન્દ્રને શ્રી. કનૈયાલાલ મુનશીએ (જુઓ ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર’ પૃ. ૪૭) તથા શ્રી. રામલાલ મોદીએ (જુઓ બુદ્ધિપ્રકાશ', જાન્યુઆરી ૧૯૩૦માં લેખ “પાટણના ગ્રન્થકારે') હેમચન્દ્રને શિષ્ય માને છે તે વાસ્તવિક નથી. ૩૨. પ્રખધંચિતામણિ” (ફા, ગ. સભાની આવૃત્તિ), પૃ.૧૩૩. ૩૩. એજન, પૃ. ૧૪૩-૧૪૪. ૩૪. પ્રભાવક ચરિતા' હેમાચાર્યપ્રબન્ધ', લોક ૭૩૭. ૩૫. કુમારપાલપ્રબન્ધ', પૃ. ૧૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy