SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર ઇમારત નિર્મિત કરવાનું કામ સોંપ્યું. જાસ્પરે આ નવી જવાબદારીને પાર પાડવા અને ભારતીય પરંપરાને અનુરૂપ જ્ઞાનનું સુંદર સ્મારક ઊભું કરવા ભારતના પ્રાચીન સ્થાપત્યનો અભ્યાસ કર્યો એટલું જ નહીં પરંતુ સારનાથ, આદિ સ્થળોની પણ મુલાકાત લીધી. ત્યાર બાદ તેમણે પાટણમાં હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરના નિર્માણનો આરંભ કર્યો. હસ્તપ્રતોને વાતાવરણ, ભેજ, ધૂળ, આદિથી રક્ષણ મળી રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને જ્ઞાનમંદિરના સ્થાપત્યમાં સારનાથનાં મંદિરોના સ્તંભ જેવા સ્તંભોનું આયોજન કરી જ્ઞાનનું એક ભવ્ય સ્મારક રચવામાં આવ્યું. આ સ્મારકના ઉદ્ઘાટન માટે માનનીય શ્રી કનૈયાલાલ મુનશીજીને વિનંતી કરવામાં આવી હતી. માનનીય મુનશીએ પાટણની ભવ્યતાને ઉજ્વળ બનાવવા, પાટણમાં આવેલ આ અદ્ભુત વારસાની સમગ્ર જનતાને જાણ થાય તે માટે તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અને પહેલું હૈમ સારસ્વત સત્ર યોજવાની પ્રેરણા કરી હતી. જે પાટણના શ્રેષ્ઠીઓએ સહર્ષ વધાવી લીધી હતી. આમ, જ્ઞાનના અદ્ભુત સ્મારકનું ઉદ્ઘાટન અને હૈમ સારસ્વત સત્ર જેવી બે ઐતિહાસિક ઘટના ઘટી તેનું સુંદર વર્ણન આ દસ્તાવેજી ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. શ્રી કનૈયાલાલ મુનશીએ તો હેમચન્દ્રભાઈને ભાઈ સમાન ગણાવ્યા છે. અને તેમને બિરદાવતાં કહ્યું હતું કે, હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરના નિર્માણ દ્વારા શ્રી હેમચન્દ્રભાઈએ આખા હિંદની જ નહીં પણ દુનિયાની ભાષા અને વિદ્યાની સેવા કરી છે. તેના ઉપર ઉપકાર કર્યો છે. આ ધનવાન શ્રેષ્ઠીએ પિતૃતર્પણરૂપે ઉત્તમ સ્થપતિ દ્વારા જ્ઞાનમંદિરનું નિર્માણ કર્યું હતું. તેમને આ કાર્યમાં મણિભાઈ મોહનલાલ ઝવેરી (પ્રભાબહેનના પિતાશ્રી), આદિ ભાઈઓનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયેલો. શ્રીમતી પ્રભાબહેન પણ તે જ પરિવારના અને હાલ અમદાવાદના જાણીતા ઉદ્યોગગૃહ લાલભાઈ ગ્રૂપના સ્વ. મેયર શ્રી ચીનુભાઈ શેઠનાં ધર્મપત્ની એટલે ઉભય પરિવારના સંસ્કારોનો, સંસ્કૃતિનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. તેમની જ ભાવનાથી આ ગ્રંથ પુન:મુદ્રણમાં તેમની પાટણની ધરતી પ્રત્યેની મમતા, હેમચન્દ્રાચાર્ય પ્રત્યેની ભક્તિ અને Jain Education International p For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy