SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ બાવીસ સંસ્કૃત નાટકો લખાયાં છે તે પૈકી અર્ધા એફલ: રામચન્દ્રના જ છે. ગૂજરાતના અને ભારતના સંસ્કૃત સાહિત્યમાં રામચન્દ્ર આ પેલે ફાળે જેટલે વાવ છે તેટલે સગાન પણ છે. રામચન્દ્રની શ્રે બે પૈકી ‘નાદર્પણ', “સત્યહારશ્ર', નિલયમાગી, કૌમુદીમિત્રાદી, અને ‘નલવિલાસ પ્રસિદ્ધ ચચેલાં છે. સત્યહરિશ્ચન્દ્ર'નું ૧૯૧૩ની સાલમાં ઈટાલયન ભાષા-નર પયેલું છે. રામચન્દ્રની સમશ્યાતિ રામચન્દ્રની સમશ્યાવૃતિ કરવાની શક્તિ પણ તેમની વિદ્વતા જેટલી જ પ્રખર હતી. પ્રાચીન કવિઓને અત્યંત પ્રિય એવા શાદ કવિત્વમાં પણ તેઓ નિષ્ણાત હતા, તેમના શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને કવિકટારમલનું બિરૂદ આપ્યું હતું. એ વિષે પ્રબંધચિન્તામણિ કાર જણાવે છે કે એક વાર ગ્રીષ્મઋતુમાં સિદ્ધરાજ પિતાને પટાવ સાથે ક્રીડાદ્યાનમાં જ હતો, તે વખતે રામચન્દ્ર સામે મળ્યા, આથી સિદ્ધરાજે કવિને પૂછ્યું. વર્ષ ટીમે વિરતા પુતરા (ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા કેમ છે?) તે જ વખતે કવિએ જવાબ આપે કે – देव श्री गिरिदुर्गमल्ल भवतो दिग्जैत्रयात्रोत्सवे धावद्वीरतुरङ्गनिष्ठुखुरक्षुण्णक्षपामण्डलात् । वातोधूतरजोमिलत्सुरसरित्सातपस्थलीदूर्वाचुम्बनचञ्चुरा रविपास्तेनैव वृष्टुं दिनम् ॥ હે ગિરિદુર્ગને જીતનારા દેવ, આપની દિગ્વિજયયાત્રાના મહત્સવમાં દેડતા ઘડાઓની કઠેર ખરીઓ વડે જમીન ખોદાઈ જવાથી પવન સાથે જે રજ ઊંચે ચઢી તે તે આકાશગંગામાં મળી જવાને કારણે જે કાદવ પેદા થયો છે તેમાં ઊગેલી ધરે ચારતા સૂર્યના અશ્વો ધીમેથી ચાલે છે, તેને કારણે દિવસ લાંબે થયે છે! આજ પ્રસંગ રત્નમન્દિરગણુંકૃત ‘ઉપદેશતરંગિણી'માં પણ મળે છે. કવિના આ ચાતુર્યથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને “કવિટારમલની પદવી આપી હતી એવો ઉલ્લેખ તેમાં છે. ૬. પ્રબચિતામણિ (ફ. ગૂ. સભાની આવૃત્તિ ), પૃ. ૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy