SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ ગૂર્જરેશ્વરની વિનંતિને માન્ય રાખીને અવારનવાર જતા-આવતા. આ પછી ઉત્તર।ત્તર ભગવાન શ્રી. હેમચંદ્રનું સ્થાન ગૂજરેશ્વરની રાજસભા અને તેના વિર્ગમાં ઘણું જ આગળ પડતું થઈ ગયું. વિક્રમ સંવત્ ૧૧૮૧ માં ગૂર્જરેશ્વરની રાજસભામાં ખુદ ગૂજરપતિ અને કવિચક્રવતી શ્રીપાળના અધ્યક્ષપણા નીચે, કર્ણાટકદેશીય હિંગ'ખર તાકિ કાચાય વાદી શ્રી. કુમુદચંદ્ર સાથે થયેલ ગૂર્જરદેશીય શ્વેતાંબર તાર્કિક શિરામણિ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથના પ્રણેતા મહાવાદી શ્રી. દેવસૂરિના વાદ પ્રસંગે રાજસભામાં ભગવાન શ્રી. હેમચંદ્રાચાય નું મહત્તાભર્યું સ્થાન હતું. સિદ્ધહેમ વ્યાકરણની રચના વિદ્વાન ગૂર્જરેશ્વર મહારાજા શ્રી. સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભા એટલે સમગ્ર ગુજરાત અને દેશવિદેશના પતિચક્રવતીઓની સભા, એ રાજસભાના સઘળા વિદ્વાનેા ભગવાન હેમચંદ્ર પ્રત્યે તેમના ભાષ્ય પાંડિત્યને કારણે બહુમાનની નજરે જોતા હતા. વિક્રમ સંવત ૧૧૯૨ માં માલવપતિ શ્રી. યશાવર્માને હરાવ્યા પછી ત્યાંની લૂંઢમાં ત્યાંના રાજકીય જ્ઞાનભંડાર ( પુરતકાલય) ગૂર્જરેશ્વરના હાથમાં આવ્યા હતા. તેનું અવલેાકન કરતાં તેમાં ભાજવ્યાકરણની નકલ જોયા પછી, ગૂરેશ્વરના હૃદયમાં પેાતાના દેશમાં સ્વતંત્ર વ્યાકરણના સર્જન માટેની તીવ્ર ઊમિ` ઉત્પન્ન થઈ. અને પેાતાને એ વિચાર તેમણે રાજસભાના માન્ય પ્રખર વિદ્વાન સમક્ષ જાહેર કર્યાં. આ પ્રસંગે રાજસભાના દરેક વિદ્વાને ભગવાન શ્રી. હેમચ’દ્રાચાય તરફ આંગળી ચીધીને એકીઅવાજે જણાવ્યું કે, “ મહારાજ ! આપની આ અતિમહાન ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ મહાપુરુષ સિવાય ખીજુ` કેાઈ સમર્થ નથી. '’છેવટે ગૂજરેશ્વરે આચાર્યશ્રીને જોઈતાં દરેક સાધને પોતાની રાજકીય લાગવગથી પૂરાં પાડવાં અને આચાર્ય શ્રીએ પેાતાના અને ગૂર્જરેશ્વરના નામને અમર કરતા સર્વાંગપૂર્ણ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરીતે માત્ર ગૂજરેશ્વરને જ નહિ પણ આખા વિશ્વને પોતાના અજોડ પાંડિત્યને પરિચય આપ્યા. કહેવાની જરૂર નથી કે, આ પછી ગૂજરેશ્વર ભગવાન હેમચંદ્રના અનન્ય મિત્રને સેવક બની ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy