SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ : લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી :પ્રસ્તાવના : ગુણવંતી ગૂર્જરભૂમિના સાર્વત્રિક ગૌરવમાં ઉમેરો કરનાર = મહાન ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવના હદયમાં અને તેમની રાજસભામાં અગ્રસ્થાન પ્રાપ્ત કરનાર, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલ દેવને અને જેન પ્રજાને તારણહાર, ભારતીય પ્રજાના કરકમલમાં અપૂર્વ અને વિશાળ સાહિત્યને વારસો અપ જનાર અને પિતાની વિશ્વમુખી પ્રતિભાથી ભારતભૂમિને તેમ જ જેન પ્રજાને સમગ્ર વિશ્વમાં અમર કરનાર કલિકાલસર્વજ્ઞ મહાન આચાર્ય શ્રી.હેમચંદ્રના સંબંધમાં કાંઈ પણ લખવું, એ આ પળે માની લઈએ તેટલું સહેલું નથી. તે છતાં એ મહાપુરુષની પ્રતિભા, એમનું ગંભીર જ્ઞાન, એમની સાધુતા; એમનું સ્વપરશાસ્ત્રવિષયક પારંગતપણું, એમની રાજનૈતિક નિપુણતા અને વ્યાવહારિક દક્ષતા, પિતાના જમાનાની સમર્થ વ્યક્તિઓમાં તેમનું સ્થાન વગેરે હકીકતેને સામાન્ય જનતાને ખ્યાલ આવે એ બદલ સહજ ભાવે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જન્મસ્થાનાદિ “વિશ્વની મહાવિભૂતિઓના જીવનની કિંમત તેમનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા આદિ ઉપરથી આંકવામાં નથી આવતી” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy