SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્તસૂરિ આદિ. ઉમાસ્વાતિ વાચક. पसमरइपमुहपयरण पंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ॥ -પ્રશમરતિ પ્રમુખ પાંચસો પ્રકરણ સંસ્કૃતમાં જેમણે રચ્યાં છે એવા પૂર્વગત વાચક ઉમાસ્વાતિ નામના છે.- (જિનદત્તસૂરિ – ગણધરસાદ્ધશતક ગાથા પ૦). उमास्वाते र्वाचकस्य वाचः कस्य न चेतसि । ध्वनंत्यद्यापि घंटावत्तारटंकारसुन्दराः ॥ -ઉંચા ટંકાર વડે સુંદર એવી ઉમાસ્વાતિ વાચકની વાણી હજુ સુધી ઘંટાની જેમ કોના ચિત્તમાં ધ્વનિ કરી રહી નથી ? (સૌના હૃદયમાં કરી રહી છે.) – મુનિચંદ્રકૃત અગમચરિત્ર. प्रशमस्थितेन येनेयं कृता वैराग्यपद्धतिः । तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ॥ - પ્રશમમાં રહેલા એવા જેણે આ (પ્રશમરતિ) વૈરાગ્યપદ્ધતિની કૃતિ બનાવી તે ભૂતાર્થભાષી તત્ત્વાર્થભાષક વાચક મુખને નમસ્કાર. - પ્રશમરતિ પ્રકરણ ટીકા. ૧૪૬. શ્રી ઉમાસ્વાતિ (કોઈ ઉમાસ્વામી કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન-તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું. આ શ્રીમાને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્નાય માને છે. તે સૂત્ર પરનું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિપરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગર શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ વાત્સી એટલે વત્સગોત્રની ઉમા અને પિતાનું નામ કૌભીષણી ગોત્રના સ્વાતિ હતું. તેમણે પોતાનો આ ગંભીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy