SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સ્થવિરાવલી કહ્યો. પોતાની જિનમૂર્તિને “કલિંગ જિન’ કહેલ છે જૈન ગ્રંથોમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જૈન સાધુઓ અને પંડિતોની સભા થઈ અને જે જૈન આગમો (અંગ) લુપ્તપ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં પરંતુ આ ઉદ્ધારને ઘણા જૈનોએ ન સ્વીકાર્યો. આ લેખમાં લખ્યું છે કે ખારવેલ મૌર્યકાલમાં નષ્ટપ્રાય થયેલાં અંગ સસિક (સાત અંગ)નો, ચોથા ભાગનો પુનરુદ્ધાર કરાવ્યો. ભગવાન્ મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું એ આ લેખમાં ઉલિખિત વર્ધમાન' એ શબ્દ પરથી ધ્વનિત થાય છે. આ લેખ જેટલો જૂનો છે તેટલો કોઈ પણ જૈન ગ્રંથ નથી. ઐતિહાસિક ઘટના તેમજ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષનો આ સૌથી પહેલો શિલાલેખ છે. આર્ય સુસ્થિત સૂરિ - સુપ્રતિબુદ્ધસૂરિજી મ. કાલક ઘણે ભાગે વીરાત્ ૪૬૫ (વિ.સં.૧) પૂર્વે પરલોકવાસી થયા હશે એમ હું માનું છું. (મુનિશ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવના). તે સમયમાં હાલના ગુજરાતનું ભરૂચ-મૂળ ભૃગુકચ્છ પણ જબરું શહેર હતું. ત્યાં ભ. મુનિસુવ્રત તીર્થંકરનું ‘શકુનિકા વિહાર' નામનું મહા જિનમંદિર હતું, ને જૈનો તથા બૌદ્ધોની વસ્તી હતી, વીરા ૪૬૬ (વિ.સ. પૂર્વે ૪). ભરૂચમાં વિચરેલા વીરાત્ ૪૮૪-૮૭માં થયેલા આર્ય ખપુ (૫)ટાચાર્યના વિદ્વાન્ શિષ્ય ભુવને ત્યાંના બૌદ્ધોને જીત્યા અને પછી બટુ (વૃદ્ધ) કર નામના બૌદ્ધાચાર્ય ત્યાં આવ્યા તેને પણ જીત્યા (મનોરમા કહા (વર્ધમાનસૂરિકૃત) પૃ. ૧૮૦-૨ પ્રમાણે ખેડ પરનમાં યોગભદ્ર બૌદ્ધ ભિક્ષને જૈન મુનિ મન્ટગુમે હરાવ્યો. તે ભિક્ષ કરીને વૃદ્ધકર યક્ષ તરીકે પ્રસિદ્ધ થયો.) ને આર્ય ખપુ(૫)ટાચાર્યે ત્યાંની બુદ્ધની પ્રતિમાને અને બૌદ્ધાંડને અધું નમાવ્યું કે જે હજુ પણ વિદ્યમાન છે ને તે નિગ્રંથનમિત'ના નામથી ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy