SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સ્થવિરાવલી માધુરી વાચના, વાલભી વાચના વલભી વાચના (વલ્લભીપુર પરિષદ) દેવર્ધ્વિગણી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાંથી સાભાર જે કાલે માધુરી વાચના થઈ તેજ કાલમાં વલભી નગરીમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. આગમ, તેના અનુયોગો, તથા પ્રકરણ જે યાદ હતાં તે લખવામાં આવ્યા અને તેમને વિસ્તૃત સ્થલોના પૂર્વાપર સંબંધ અનુસાર બરાબર કરી તે અનુસાર વાચના આપવામાં આવી. આને “વલભી વાચના' કહે છે અને તેને ‘નાગાર્જુની વાચના' પણ કહી શકાય. આચાર્ય સ્કંદિલ અને નાગાર્જુન બંને સમકાલીન સ્થવિરો હોવા છતાં દુર્ભાગ્યે આસપાસ મિલન ન થવાથી બંને વાચનાઓમાં યત્રતત્ર કંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે. જુઓ ભદ્રેશ્વરકૃત કથાવલી. જુઓ મુનિ કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ “વીર નિર્વાણ સંવત્...પૃ. ૧૧૦-૧૧૧ (પારા ૧૯૫). આ વીત્યા પછી વીરા દશમાં સૈકામાં બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુ-શ્રતોના અવસાન થવા સાથે જ જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું તે પણ બહુજ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૧૧૦), દેવદ્ધિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એકજ પાઠના આલાપ (આલાવા) આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મુકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો કદી રાયપળી - જેમ રાયપાસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે આનું નામ વલભવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે. તેમાં સૂત્ર-આગમોનાં નામો આપ્યાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy