SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૨. મહામેઘવાહન : એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મેઘવાહન કહેવાતો. તેણે કુમારગિરિની એકે ગુફામાં હાથી કોતરાવેલ, તે ગુફા આજે હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે. ૩. ખારવેલાધિપતિ : એની રાજધાની સમુદ્રને કિનારે હોવાથી તેમજ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતો હતો. આ ભિખુરાયે મગધના રાજા પુષ્યમિત્રને હરાવ્યો હતો, પાટલીપુત્રની પાસે ગંગામાં પોતાના હાથીઓને સ્નાન કરાવ્યું હતું, મગધના રાજાઓ અવારનવાર કલિંગને લૂંટીને જે સંપત્તિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી. તેમજ આઠમો નંદરાજા સુવર્ણની શ્રીગઢષભદેવની જે મૂર્તિને લઈ ગયો હતો, તે મૂર્તિને પાટલીપુત્રમાંથી કલિંગ લઈ જઈ કુમારગિરિ પર્વત ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહોત્સવ પૂર્વક સ્થાપી હતી. આ ઉત્સવમાં આ૦સુસ્થિતસૂરિ અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતા હતી, અને તેઓના હાથે જ પ્રતિષ્ઠા થઈ હતી. વળી, ભિખુરાયે કુમારગિરિ પર નવી ગુફાઓ બનાવી, તેમાં મોટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, શ્રીશ્રમણસંઘને આમંત્રી મોટું શ્રમણસંમેલન કરાવ્યું, જેમાં બીજી આગમવાચના કરાવી જિનાગમોને વ્યવસ્થિત કરાવ્યાં. આ ઘટનાઓથી આ વખતે કુમારગિરિ મહાન તીર્થરૂપ બન્યું હતું. ભિકખુરાય જૈન શાસનની મહાન પ્રભાવના કરી વીર સં. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યો. એનો પુત્ર વદરાય કલિંગનો રાજા બન્યો. તે જૈનધર્મની પ્રભાવના કરી વીર સં. ૩૬૨માં સ્વર્ગે ગયો. એના પછી વિદુહરાય કલિંગનો રાજા થયો. તે પણ જૈનધર્મનો મહાન ઉપાસક થયો છે. એનું વીર સં. ૩૯૫માં સ્વર્ગગમન થયું. (હિમવંત સ્થવિરાવલી' પૃ. ૫ થી ૮) (ઈતિ જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy