SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી. થઈ, દેશ પાયમાલ થયો. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. નંદરાજા ગુસ્સામાં આવી કુમારગિરિ ઉપરના મંદિરને તોડીને ઋષભદેવની સુવર્ણમૂર્તિને પટણા (પાટલીપુત્ર) લઈ ગયો. આ પછી વીર સં.૨૨૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગનો રાજા બન્યો. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયો હતો એટલે મગધસમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેનો સામનો કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તો અશોકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલ્મ ગુજારી, કલિંગરાજને હરાવ્યો અને કલિંગની સંપત્તિ લૂંટી લીધી. આ ઘટના વીર સં. ૨૩૯માં બની છે. અશોકે કલિંગરાજને હરાવ્યા પછી અહીં મૌર્ય સંવત ચલાવ્યો. - ભારતીય ઈતિહાસકારો અને બૌદ્ધ ગ્રંથો પણ લખે છે કે અશોકના હાથે આ છેલ્લો જ મહાભયંકર માનવસંહાર થયો હતો. અહીંના વીરતાભર્યા બલિદાનો અને કરુણ દશ્યો જોઈને અશોકનું હૃદય દ્રવી ઊઠ્યું. એટલે તેણે બહાદુર કલિંગને સ્વતંત્રતા આપી અને પોતે રાજ્ય-લોલુપતાથી થતાં આવાં યુદ્ધો પણ બંધ કર્યા. ક્ષેમરાજનો પુત્ર વઢરાજ વીર સં. ૨૭પમાં કલિંગની ગાદીએ આવ્યો. આ વખતે કલિંગમાં શાંતિ હતી. કલિંગના તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણ-નિર્ગુન્હો અને શ્રમણીઓને ચોમાસુ રહેવા માટે ૧૧ ગુફાઓ તૈયાર કરાવી તે તીર્થોને પુનઃ સતેજ કર્યાં. વીર સં. ૩00માં તેનો પુત્ર “ભિખુરાય” કલિંગનો રાજા બન્યો. તે પણ પોતના પૂર્વજોની જેમ પરમ જૈનધર્મી અને મહાપ્રતાપી થયો છે. એનાં ત્રણ નામો પ્રસિદ્ધ ૧. ભિમુખરાય : જૈન નિર્ચન્થ ભિક્ષુઓ-શ્રમણોનો પરમ ભક્ત હોવાથી તે ભિખુરાજ કહેવાતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy