SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ २० સ્થવિરાવલી તત્પર રહી સંપ્રતિ રાજા સ્વર્ગગામી બન્યો. પાટલીપુત્ર નગરમાં પણ અશોકરાજાનો પુત્ર બોદ્ધ ધર્મ આરાધક પુણ્યરથ પણ વીરપ્રભુના નિર્વાણથી ૨૪૩ વર્ષો બાદ રાજ્યગાદી પર આવ્યો. તે પણ વીરપ્રભુના નિર્વાણથી ૨૮૦ વર્ષો બાદ પોતાના પુત્ર વૃદ્ધરથને પોતાની ગાદી પર સ્થાપી પરલોકમાં ગયો. બોદ્ધધર્મના અનુયાયી એ વૃદ્ધરથ રાજાને મારી નાખીને તેનો સેનાધિપતિ પુષ્યમિત્ર, મહાવીર પ્રભુના નિર્વાણથી ૩૪૦ વર્ષ પછી પાટલીપુત્ર રાજ્યની ગાદી પર રાજા બન્યો. આ બાજુ હવે વૈશાલી નગરીનો ચટક રાજા શ્રી મહાવીર તીર્થંકરદેવનો ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. એના ભગિનીપુત્ર (મતાંતરે પુત્રીના પુત્ર) ચંપાનગરીના રાજા કુણિકે એનો સંગ્રામમાં પરાજ્ય કર્યો એટલે એ અણસણ કરી સ્વર્ગમાં ગયા. (હવે આગળની વાત જૈન પરંપરાનો ઈતિહાસ (વિ.સં.૨૦૫૬ આવૃત્તિ) ભાગ ૧ માં જે પાના ૧૭૫-૭૬-૭૭-૭૮-૭૯ ઉપર આપી છે તે જ અત્રે રજુ કરાય છે.) (સેનાપતિ પુષ્પમિત્ર રાજદ્રોહ કરી પટણાની ગાદીએ ચડી બેઠો હતો. તેણે ગાદી પર આવતાં જ ધર્માંધ બની જૈન શ્રમણો અને બૌદ્ધ શ્રમણો વગેરેનો શિરચ્છેદ કરાવી, કાળો કેર વર્તાવ્યો હતો. આથી જૈન શ્રમણો એકદમ કલિંગ તરફ ચાલ્યા ગયા, તેઓનું પઠન-પાઠન બંધ થયું અને જિનાલયોને મોટો ધક્કો લાગ્યો. આ સમયે કલિંગરાજ ભિખુરાય ખારવેલ પરમ જૈન હતો. તેણે પ્રથમ પુષ્પમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો, પછી કલિંગમાં આવી આ૦ સુસ્થિતસૂરિ અને આ0 સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી.) ‘હિમવંત સ્થવિરાવલી' માં લખ્યું છે કે, મુનિસંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ૦ સુસ્થિતસૂરિ વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણો, આર્ય પોણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy