SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સ્થવિરાવલી ચર્ચાનો એકદમ નિકાલ અને નિર્ણય થઈ શકે છે. લેખમાં આવેલી હકીક્ત ઉપરથી સ્પષ્ટ અને સત્ય રીતે જણાય છે કે, તે વખતે અને તેના પહેલાં પણ જૈનોમાં મૂર્તિપૂજા પ્રચલિત હતી. આ લેખની ૧૨ મી પંક્તિના પાછલા ભાગ ઉપરથી જણાય છે કે “આદિ તીર્થકર ઋષભદેવની મૂર્તિ નંદરાજા ઉપાડી ગયો હતો, તે...પાટલિપુત્રથી રાજગૃહ પાછી આણી જૈન વિજેતાએ નવા ભવ્ય પ્રાસાદમાં ભારે ઉત્સવ સમારંભથી તેની સ્થાપના કરી.” (જુઓ, શ્રીયુત કે.હ.ધ્રુવનું વિવેચન.) આ કથનની અસંદિગ્ધતાપૂર્વક સિદ્ધ થાય છે કે ઈ.સ.પૂર્વેના ૩ જા સૈકામાં તેમજ તેની પણ પહેલાં જેનમૂર્તિપૂજા યથાર્થ રીતે પ્રચલિત હતી. શ્રીમાન્ ધ્રુવ મહાશય તા. ૮-૨૧૯૧૭ ના મારી ઉપરના એક ખાનગી પત્રમાં આ બાબત ખાસ વિચારપૂર્વક લખે છે કે “ખારવેલના લેખના એક મહત્વ ધરાવતા ભાગ ઉપર આપનું લક્ષ ન ગયું હોય, તો હું તે તરફ દોરવા રજા લઉં છું. એમાં એક ઠેકાણે રાજગૃહમાંથી ઋષભદેવ ભગવાનની મૂર્તિ નંદરાજા ઉપાડી ગયાનું લખ્યું છે. આથી ઈસવી સન પૂર્વે ચોથા સૈકામાં મૂર્તિપૂજા જૈનોમાં પ્રચલિત હતી એમ સિદ્ધ થાય છે. શ્રમણ-ભગવાન્ શ્રીમહાવીરદેવના નિર્વાણ બાદ બીજા જ સૈકા જેવા પુરાણ કાળમાં પણ મૂર્તિપૂજા પ્રચલિત હોવાનું સર્વમાન્ય પ્રમાણ આ લેખમાં સ્પષ્ટ જોવામાં આવે છે. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી :- (બે કઠેરાની હરોની વચ્ચે ૬ લીટીઓવાળો લેખ જૈનોનો જ છે. લેખના અક્ષરો ઈ.સ. પૂર્વે ૫૦ના હોય એમ લાગે છે.) એનું ગુજરાતી ભાષાંતર : અહત વર્તમાનને નમસ્કાર, ગણિકા ડાની પુત્રી ગણિકા નંદાએ વેપારીઓના આહત દેવાલયમાં શ્રમણ સમૂહને રહેવા માટે તથા અહંન્તોની પૂજા માટે એક નાનું આહત-દેવાલય, આચાર્ય માટે બેઠકો, એક હોજ (પાણીનો) અને એક શિલ્લાપટ્ટ (દેવાલયનું પુણ્ય) મા, બહેન, પુત્રી, પુત્ર અને સગાંઓ સાથે (ભોગવવાને) કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy