SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી मूर्तियों को प्रमाणित नहीं करना यह अर्धजरतीय न्याय सर्वथा अनुचित ही माना जाएगा. ૧૫૯ (इति पं. श्री भुवनसुंदर विजयजी म. लिखित 'कल्पित इतिहास से सावधान' में से साभार ) (પ્રાચીન લેખ સંગ્રહ પ્રથમ ભાગ (પ્રાકૃત લેખ વિભાગ) સંગ્રાહક અને સમ્પાદક મુનિરાજશ્રી જિનવિજયજી મહારાજ વિ.સં. ૧૯૭૩માંથી અગત્યનું તારવેલું – સંપાદક) ખારવેલનો લેખ આ લેખના સ્પષ્ટીકરણ માટે અનેક વિદ્વાનોએ બહુ પરિશ્રમ ઉઠાવ્યો છે, પરંતુ તેમાં પૂરેપૂરી સફળતા તો ગુજરાતના ગૌરવભૂત પુરાતત્ત્વજ્ઞ પંડિત ભગવાનલાલને જ મળી છે. શ્રી ભગવાનલાલના નિબંધમાં જે અપૂર્ણતા હતી અને જેના લીધે આખો લેખ અસ્પષ્ટ જેવો જણાતો હતો તેની પૂર્તિ શ્રીયુત કેશવલાલે કરી છે અને લેખમાંની દરેક હકીકતને સુસંગત અને સ્પષ્ટ બનાવી છે. અધિકાંશ વિચારો પંડિત ભગવાનલાલના મતને જ મળતા થતા જાય છે અને તેમાં શ્રીકેશવલાલના નિર્ણયે સબળ પુષ્ટિ આપી છે. ખારવેલે પણ સર્વ દિશામાંથી જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ નિગ્રંથ શ્રમણોને આહ્વાન કરી કુમારી પર્વત ઉપર એક સાધુ પરિષદ ભરી હતી. કુમારી પર્વત તે ખણ્ડગિરિ જ છે અને એના ઉપર જ ખારવેલે નિગ્રંથ શ્રમણોની પરિષદ ભરી હતી. Jain Education International ૫. આ લેખ ઉપરથી છેલ્લી જે વિચારવા જેવી બાબત છે, તે મૂર્તિ પૂજા વિષયક છે. જૈન શ્વેતાંબર સંપ્રદાયની એક શાખા કે જે ‘સ્થાનકવાસી’ કે ‘ટુંઢિયા’ ના નામથી ઓળખાય છે, તે શાખાવાળા મૂર્તિપૂજાનો સ્વીકાર નથી કરતા. તેમનું કથન છે કે જૈનધર્મમાં જે મૂર્તિપૂજા છે તે પાછળથી દાખલ થઈ છે. મહાવીર દેવના નિર્વાણ બાદ ૮ મા કે ૯ મા સૈકામાં તેની શરૂઆત થઈ છે. તેની પહેલાં જૈનોમાં તીર્થંકરોની મૂર્તિઓ માનવાનો કે બનાવવાનો પ્રચાર ન હતો. એ વિષયમાં બંને સંપ્રદાયોમાં પરસ્પર અનેકવાર ક્લેશજનક ચર્ચાઓ થઈ છે. ખારવેલના આ લેખ ઉપરથી એ વિવાદગ્રસ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy