SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી (G) સ્વાધ્યાય શાસ્ત્રવાંચન વગેરે દ્વારા વચન ગુમિની સુંદર આરાધના કરી. H) કાયાને સંયમ યોગોમાં સદા વ્યાપૃત રાખી કાયમુમિનું અદ્ભુત પાલન કર્યું. (૭) દીક્ષા-લબ્ધિ દ્વારા અનેકને દીક્ષા આપી સહની સાધનાને વાચનાઓ વગેરે દ્વારા જવલંત કરી. સંયમી, જ્ઞાની, શાસનપ્રભાવક, તપસ્વી-ત્રણસો મુનિઓના વિશાળ ગચ્છનું તેં સર્જન કર્યું. (૮) શાસ્ત્રકાર ભગવંતોની મહાવ્રતશુદ્ધિ વિશેષ કરીને બ્રહ્મચર્યશુદ્ધિની આજ્ઞાને સ્વજીવનમાં સુંદરપણે અપનાવી, સમસ્ત સમુદાયમાં તે વિસ્તારી મન-વચન કાયાથી શુદ્ધપણે દુર્ધર બ્રહ્મચર્યનું તેં પાલન કર્યું. (૯) આલોચના-પ્રાયશ્ચિતને તું ખુબ મહત્ત્વ આપતો, ગુરુના વિરહમાં તું અન્ય સમુદાયના આચાર્ય પાસે પણ આલોચના કરી શુદ્ધિ કરતો, તેમજ સમુદાયના મુનિઓને અત્યંત વાત્સલ્યથી નવાજી મુનિઓ પાસે આલોચના કરાવી શુદ્ધિ કરાવતો. (૧૦) “સાધુ દોષ સેવે તો આચાર્યને ચારગણું પ્રાયશ્ચિત આવે” આ શાસ્ત્રવચનને સદા સ્મૃતિમાં રાખી સમુદાયનું સારણા-વારણાદિથી યોગક્ષેમ કર્યું. (૧૧) ચર્તુવિધ સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન કર્યું. ઉત્સર્ગ–અપવાદનું યથાયોગ્ય પાલન કર્યુ-કરાવ્યું. ‘ઉત્સર્ગના સંયોગમાં ઉત્સર્ગની આચરણા કરવી-કરાવવી. અપવાદના સંયોગોમાં અપવાદની આચરણા કરવી-કરાવવી. વિપરીત એટલે ઉત્સર્ગના સંયોગોમાં અપવાદની આચરણાથી અને અપવાદના સંયોગમાં ઉત્સર્ગની આચરણાથી જિનાજ્ઞાની વિરાધના થાય છે. અનંત સંસાર વધે છે.” આ શાસ્ત્ર વચનને સદા સ્મૃતિમાં રાખી યોગ્ય રીતે સમુદાયને વહન કર્યો. સંઘમાં પણ માર્ગદર્શન કર્યું. (૧૨) સંઘભેદથી વ્યથિત એવા તે સંઘશાતિ અને સંઘએકતાની ખુબ જ હિમાયત કરી, તે માટે પ્રબળ પુરુષાર્થ કરી તેમાં પટ્ટક કરી મહદંશે સફળતા મેળવી. (૧૩) શાસન અને સમુદાયના હિત માટે અપમાનોના અનેક ઘૂંટડા તું પી ગયો. (૧૪) ફરતા વાના દુઃખાવાના તથા અંતિમ કાળે શ્વાસ વગેરે રોગના ઉપદ્રવને તે ખુબ સમાધિપૂર્વક સહન કરી અદ્ભૂત નિર્જરા સાધી. (૧૫) સર્વ જીવોને ખમાવી, વીર-વીરના ઉદ્ગારો કરતા કરતા, મુનિઓના મુખે આરાધના સાંભળતા સાંભળતા તે અદ્ભુત સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. ચતુર્થ આરાના મહર્ષિઓની ચાદ કરાવતા પ્રેમર્ષિ ! તારા ચરણોમાં કોટિ કોટિ વંદન - તારો બાળ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy