SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સ્થવિરાવલી છીએ.” આમ કહેતાં કહેતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા. અહીં કોઈએ મશ્કરીમા કહ્યું કે, “આ દરેક પીધેલા છે.' તેઓએ જવાબ વાળ્યો કે, “આ કોઈ પીધેલા નથી, કેમ કે દિવસનો પહેલો જ પહોર છે. આ યોએલ પ્રબોધકે જે કહ્યું હતું, તે જ છે.” (૧ થી ૧૬, પૃ. ૧૧૪.) ૪. જૈનો પચાસમા દિવસે સંવત્સરી માને છે. બાઈબલ કરાર બીજો, પ્રેરિતોનાં કૃત્ય, અધ્યાય માં પણ પચાસમાં દિવસે જ ૧૧ શિષ્યોનું પ્રવચન થયાનું સૂચન છે. (૧, પૃ. ૧૪૪) ૫. જૈનો ૨૪ તીર્થંકરોને માને છે. તેઓ દેવદુષ્ય વસ્ત્રવાળા હોય છે અને દેરાસરમાં તેઓને મુકુટ પણ અવશ્ય પહેરાવાય છે. બાઈબલ કરાર બીજો, પુસ્તક ૨૭મું, પ્રગટીકરણ અધ્યાય ૪'માં લખ્યું છે કેઆકાશમાં રાજસિંહાસન પર એક પુરુષ બેઠા છે. તેની આસપાસ ૨૪ આસનો ઉપર ૨૪ પવિત્ર પુરુષો છે, જે ઊજળા વસ્ત્રના ધારક છે, માથા ઉપર સોનાના મુગટવાળા છે. (૧ થી ૮, પૃ. ૨૪૫) અહીં ૨૪ પવિત્ર પુરુષો બતાવ્યા છે, તે ૨૪ તીર્થકરોના આધારે જ કરેલી કલ્પના છે. જો કે વૈદિક પરંપરાએ પણ ૨૪ અવતારો સ્વીકાર્યા છે પણ તે સ્વીકાર ઈસ્વીસનની પછી થયો છે અને તે ર૪ અવતારો એકલા મનુષ્યરૂપે નથી; મત્સ્ય, કચ્છપ, વરાહ ઈત્યાદિ રૂપે છે, જ્યારે બાઈબલમાં તો ૨૪ પુરુષોની નોંધ છે; એટલે તે તીર્થકરોની જ યાદી કરાવે છે. ૬. જૈનો આઠમે, ચૌદશે પ્રતિક્રમણ કરે છે. ઈસાઈઓ દર રવિવારે પોતાના પાપનો એકરાર કરે છે. છે. જેનો સમોસરણમાં જિનપ્રતિમાઓને બેસાડે છે. ઈસાઈ ચર્ચા પણ સમોસરણની ઢબનાં જ હોય છે. ૮. જૈન શ્રમણો અંધક, મેતાર્ય વગેરે પરિષહ સહેવામાં જ સાચી સાધુતા માને છે. ઈસાઈમતમાં પણ એક ગાલે ધોલ મારનારની સામે બીજો ગાલ ધરવાનું શીખવાડાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy