SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૩ર. આ. પુષ્પમિત્ર : વીર સં. ૧૧૦ થી ૧૨૫૦. ૩૩. આ. સંભૂતિ : વીર સં. ૧૨૫૦ થી ૧૩૦૦. ૩૪. આ. માઢરસંભૂતિ : વીર સં. ૧૩૦૦ થી ૧૩૬૦. ૩પ. આ. ધર્મઋષિ : સ્વર્ગવાસ વીર સં. ૧૪૦૦. ૩૬. આ. જ્યેષ્ટાંગગણિ : વીર સં. ૧૪૦૦ થી ૧૪૭૧. આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરગણિજી તે યુગના યુગપ્રધાન છે. ૩૭. આ. ફલ્યુમિત્ર : વીર સં. ૧૪૭૧ થી ૧૫ર૦. ૩૮. આ. ધર્મઘોષ : વીર સં. ૧૫ર૦ થી ૧૫૯૮. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ સમ્રાટ સંપ્રતિ – સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી અનેક જિનાલયો બંધાવ્યા, જિનબિંબો સ્થાપ્યા જૈનધર્મનો પ્રચાર કરાવ્યો; અને જૈનધર્મની પ્રભાવના કરી. (‘વીર વંશાવળી'માં ઉલ્લેખ છે કે સંપ્રતિએ ઉત્તરમાં ઘાંઘાણી, પૂર્વમાં રોહિંસગિરિ, દક્ષિણમાં ઈલોરગિરિ અને પશ્ચિમમાં દેવપત્તન નગરે જિનપ્રાસાદ બનાવ્યાં હતાં. આ ઉપરથી તેના રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે.) બૌદ્ધધર્મ બતાવે છે કે, અશોકે મરણ સમયે પોતાનું રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકનો યુવરાજ સંપદી હતો. તેણે ચાર કરોડ સોનામહોરો વડે આ રાજ્ય ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીનો રાજા બન્યો. ('દિવ્યાદાન અવદાન’ ૨૯ તથા બોધિસત્તાદાન કલ્પલતા') બૌદ્ધ ગ્રંથોમાં સંપ્રતિનું નામ સંપદી લખ્યું છે, જ્યારે પુરાણોમાં બંધુપાલિત, સંગત, સમતિ અને સંપ્રતિ નામો આપ્યાં છે. * પ્રો. પિશલ સાહેબ માને છે કે, રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખો સંપ્રતિએ ખોદાવ્યા છે. (પ્રો. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે.) ('ઈન્ડિયન એન્ટીક્વેરી’ પુ. ૬, પૃ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે- Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the voice to Samprate, who is in fact regarded as a Jain Ashoka. (Smith, "Early History of India, P.P.202) (“વિશાળ ભારત’ ૪. ર૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy