SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ સ્થવિરાવલી સમ્રાટ અશોક – સમ્રાટ બિન્દુસારનો પુત્ર અશોક શરૂઆતમાં જૈન હતો. રાજા થયા પછી એનો રાજલોભ વધ્યો અને બૌદ્ધ સાધુઓના પરિચયથી તેમજ બૌદ્ધધર્મી રાણી તિષ્યરક્ષિતાના સહવાસથી તે બૌદ્ધધર્મી બન્યો. પરંતુ રાણી તિષ્યરક્ષિતાએ યુવરાજ કુણાલને અંધ બનાવ્યો. આ ઘટનાથી અને કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીઓના સંહારથી ઉત્પન્ન થયેલી ધૃણાથી, તે બૌદ્ધ ધર્મની કટ્ટરતા તજી દરેક ધર્મ પ્રત્યે સમભાવી બન્યો હતો. ‘રાજતરંગિણી' માં લખ્યું છે કે “સમ્રાટ અશોક તેની પાછળની જિંદગીમાં છેલ્લાં ૪ વર્ષ જૈન બન્યો હતો.' ભારતીય ઈતિહાસમાં અશોક મહાન પ્રતાપી રાજા ગણાયો છે. એણે ફરમાનો કાઢીને અહિંસા ધર્મનો સુંદર પ્રચાર કરાવ્યો હતો. યુવરાજ કુણાલ – અશોકનો પુત્ર કુણાલ હતો. વીર સં. ૨૧૪માં રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્ર રાજા હતો. આ બલભદ્ર રાજા જૈનધર્મી હતો. મંત્રી ચાણક્ય - ભારતીય ઈતિહાસમાં ભારતને એક મહાન સામ્રાજ્યરૂપે સ્થાપનાર, મૌર્યવંશને રાજગાદી અપાવનાર, એક મહાન મુત્સદ્દી વિજેતા અને પંડિત તરીકે ચાણક્યનું નામ પ્રસિદ્ધ છે. ચાણક્ય જૈનધર્મ હતો. એણે ચંદ્રગુપ્તના સમય પહેલાં અને તે સમયે પડેલા બાર વર્ષ દુકાળમાં શ્રમણ સંઘની સુંદર સેવા કરી હતી. તેમજ ચંદ્રગુપ્તને પણ અનેક યુક્તિઓથી બતાવી આપ્યું કે જૈન સાધુઓ સાચા ત્યાગી, સંયમી અને અકિંચન છે. તેઓ જ સત્ય ધર્મના ઉપદેષ્ટા છે. આખરે રાજા ચંદ્રગુપ્તને જૈનધર્મી બનાવ્યો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ - એ મહાપ્રતાપી શ્રીસ્થૂલિભદ્રસૂરિજીના શિષ્યરત્નો અને પટ્ટધરો છે. આ બંને આચાર્યોએ બહુ જ પરિશ્રમપૂર્વક ૧૧ અંગો અને ૧૦ પૂર્વો કંઠસ્થ કર્યા હતાં અને ઉગ્ર વિહાર કરી ઘણા ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ્યા હતા. રાજા સંપ્રતિ - એકવાર આ બંને સૂરિપુંગવો વિહાર કરતાં કરતાં જીવિતસ્વામીની યાત્રાએ જતાં વચમાં આવતી નગરીમાં પધાર્યા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy