SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ભરયુવાનીમાં વીર સં. ૧માં દીક્ષા સ્વીકારે છે. જંબૂકુમારનાં માતામિતા આ દીક્ષા ઉત્સવમાં નવાણું ક્રોડ સોનામહોરો ખર્ચે છે અને તેઓ પણ પુત્રના માર્ગ-સંયમમાર્ગમાં પ્રવેશ કરે છે. ઈતિહાસ કહે છે કે, આ કાળમાં અંતિમ કેવળી અને અંતિમ નિર્વાણપદ પ્રાપ્ત કરનાર આ જ મહાપુરુષ છે. તેમની પછી આ ભરતખંડમાં નથી કોઈ જીવ કેવળી બન્યો કે નથી કોઈ મોક્ષે ગયો. જંબુસ્વામીના નિર્વાણ પછી નીચેની દશ વસ્તુઓ વિચ્છેદ થયો છે. मण परमोहि पुलाए, आहार खवग उवसमे कप्पे । संजमतिग केवल सिज्झणा य जंबूम्मि वुच्छिण्णा ॥ મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારક શરીરની લબ્ધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, ત્રણ ચારિત્ર (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર), કેવળજ્ઞાન અને સિદ્ધિપદ આમ આ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. આ સમયમાં રાજર્ષિ અવન્તીવર્ધન, મગધરાજ ઉદાયી અને નંદ વગેરે રાજા થયા છે, ભદ્રેશ્વર વગેરે તીર્થો સ્થપાયા છે. કેવળજ્ઞાની જંબુસ્વામી વીર નિર્વાણ સવંત ૬૪ માં મથુરામાં નિર્વાણ પામ્યા એમની પાટે શ્રીપ્રભવસ્વામી પધાર્યા. રાજર્ષિ અવંતિવર્ધન, મગધરાજ ઉદાયી રાજા થયા. ઉદાયી મહાન ધર્માત્મા, પ્રતાપી અને પ્રભાવી રાજા હતો. જૈનધર્મના પ્રચાર માટે એણે સારો એવો ફાળો આપ્યો હતો. નંદવંશ – મગધની ગાદીએ આવેલ નંદવંશ પણ પ્રસિદ્ધ રાજવંશ છે. આ નંદવંશમાં એક પછી એક નવ નંદ રાજાઓ થયા છે. વિદ્વાનો કહે છે કે તેઓ જૈનધર્મી હતા. આ નંદવંશના સમયમાં પ્રસિદ્ધ જૈન મંત્રીવંશ થયો છે, જેમાં કલ્પક આદિ મંત્રીઓ થયા છે. તેમાંનો અન્તિમ મંત્રી શકટાલ અને તેનો પુત્ર સિરિયક (શ્રીયક) થયા છે. નંદવંશ લગભગ ૯૫ વર્ષ મગધની ગાદી પર રહેલ છે. છેલ્લા નંદ રાજાને છતી મંત્રીશ્વર ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદીએ બેસાડ્યો ને નંદવંશનો નાશ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy