________________
* વિજ્ઞાન અને આગમથી વિદ્યુતપ્રકાશની સજીવતા
બલ્બમાં વીજળીના માધ્યમથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ ઇલેક્ટ્રીસીટીની જેમ સચિત્ત તેઉકાયસ્વરૂપ જ છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરોડો ઈલેક્ટ્રૉનનો જથ્થો અત્યંત ઝડપથી સ્થૂલ વાયરમાંથી પસાર થઈને જ્યારે એકદમ પાતળા ટંગસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે જગ્યા અતિ ઓછી હોવાથી તેમજ ઈલેક્ટ્રૉનોનો જથ્થો પુષ્કળ માત્રામાં હોવાથી તથા તેનો વેગ અતિઝડપી હોવાથી બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં અત્યંત ઘર્ષણ થાય છે. તેના લીધે ત્યાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આવું વૈજ્ઞાનિકો કહે છે. તથા હમણાં આપણે પન્નવણાસૂત્ર અને જ્વાભિગમસૂત્રનો ‘સંઘરતસમુદ્રિ’ આ પ્રમાણેનો પાઠ વિચારી ગયા તે મુજબ બલ્બમાં થતો ઉષ્ણ પ્રકાશ ખરેખર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ બાદર અગ્નિકાય સ્વરૂપ જ છે, સચિત્ત જ છે - એવું નક્કી થાય છે. આ દીવા જેવી નહિ, સૂર્ય જેવી ચોક્ખી અને સ્પષ્ટ હકીકત છે.
વળી, અગ્નિકાયના ગુણધર્મો વિદ્યુતપ્રકાશમાં જોવા મળે જ છે. પ્રકાશ, ગરમી, દાહકતા વગેરે અગ્નિકાયના લક્ષણો તેમાં જોવા મળે છે જ. વિડીયો શુટીંગ ચાલતું હોય ત્યારે જે લાઈટ ચાલુ ક૨વામાં આવે છે તેની બાજુમાં ઊભા રહેનારને ગરમીનો સખત અનુભવ થાય જ છે. લાંબા સમય સુધી બલ્બ ચાલુ રહે તો બલ્બ, મર્ક્યુરી લેમ્પ વગેરે તપી જાય છે. પ્રકાશમાન લેમ્પ ઉપર જો લાંબા સમય સુધી લુગડું રાખવામાં આવે તો તે પણ, બિલોરી કાચ વગેરેની સહાય વિના જ, બળી જાય છે. આ બધા લક્ષણો વીજળીના પ્રકાશને તેઉકાય સ્વરૂપે જ જણાવે છે.
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org