SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નરકલોકમાં તો ખૂબ તેજદાર અગ્નિ છે. સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન વગેરેમાં વર્ણન મળે છે કે નરકલોકમાં કોઈ નૈયિક જીવ છે તેને ત્યાંથી કાઢી અહીંના અગ્નિમાં નાખવામાં આવે તો તેને લાગશે કે જાણે તેને હિમાલયમાં નાખવામાં આવ્યો છે. આટલો ભયંકર અગ્નિનો તાપ છે ત્યાં પણ તે નિર્જીવ છે, સજીવ નથી. કેમ કે તિર્ઝા લોકની નીચે સજીવ અગ્નિ હોતો નથી. એટલા માટે સૂત્રકૃતાંગમાં કહેવામાં આવ્યું. અગણી અટ્ટો, વગ૨ ઈંધણનો અગ્નિ, લાકડા વિનાનો અગ્નિ. ‘અગ્નિ’ શબ્દનો પ્રયોગ તો કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં અગ્નિકાયિક જીવ નથી. વીજળી પણ અગ્નિકાયિક જીવ નથી. એક તેજોલેશ્યાસંપન્ન મુનિ છે, જેને તેજોલેશ્યા પ્રાપ્ત થઈ છે. તે ક્યારેક ગુસ્સે થઈ તેનો પ્રયોગ કરે છે, જેવી રીતે ગોશાલકે મહાવી૨ (સ્વામીજી ભગવાન) પર કર્યો હતો. ભગવાન મહાવીર યાત્રા કરી રહ્યા હતા. ગોશાલક તેમની સાથે હતો. એક સંન્યાસી પંચાગ્નિતાપ તપી રહ્યો હતો. ગોશાલકે તેની છેડછાડ કરી. ક્રોધે ભરાઈ તેણે તેજોલેશ્યાનો પ્રયોગ કર્યો. શક્તિનો પ્રયોગ કર્યો. સળગવાની હાલત આવી ગઈ. લાગ્યું કે ભસ્મ થઈ જશે. તે સમયે ભગવાન મહાવીરે શીતલેશ્યાનો પ્રયોગ કરી અગ્નિ શાંત કર્યો. તેજોલબ્ધિની શક્તિ એટલી છે કે અનેક પ્રાંતોને ભસ્મ કરી શકે. એક અણુબોંબથી પણ શક્તિશાળી તેજોલબ્ધિનો પ્રયોગ છે. પરંતુ તે સમસ્ત પુદ્ગલ છે. અજીવ છે, નિર્જીવ છે. હવે તેને અગ્નિ કહીએ તે કે આજની ભાષામાં વિદ્યુત ? તે સજીવ નથી. વીજળી અગ્નિ નથી. તેનું એક કારણ તો એ છે કે તે વાયુ વિના સળગે છે. ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે - ‘વાયુ વિના અગ્નિ સળગતો નથી. અગ્નિને હંમેશા ઓક્સિજન જોઈએ. વાયુ ન મળે, અગ્નિ ન સળગે. ઉર્જા તો હશે, પરંતુ અગ્નિ નહિ સળગે. જ્યાં વીજળીનો પ્રસંગ છે, ત્યાં વેક્યુમ કરવું પડે છે. વાયુનું નિષ્કાસન જરૂરી છે. ત્યાં ઓક્સિજનનો સુયોગ સાંપડે તો તે આગનું રૂપ લઈ શકે છે. પરંતુ જ્યાં ઉર્જા છે, ત્યાં અગ્નિ નથી. સૂર્યનો તાપ કેટલો ભયંકર હોય છે ? આજે તો સૌરઉર્જાનો પ્રયોગ પણ થવા લાગ્યો છે ચૂલો પણ સળગે છે રસોઈ પણ બને છે. એ અનેક કાર્યો થઈ શકે છે. પણ તે સઘળા નિર્જીવ ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005015
Book TitleVidyut Prakashni Sajivta Ange Vicharna
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Bhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy