________________
હિમાલયની પદ યાત્રા-૨૧
આ રીતે ભારતમાં ચાર દિશામાં ચાર પીઠની સ્થાપના આદ્ય શંકરાચાર્યે કરી હતી.
તે પછી તો ભારતમાં નાના-મોટા અનેક સ્થળે સંન્યાસીઓના આશ્રમો થયા છે. તે બધા પોતાને શંકરાચાર્યની ગાદીએ - શંકરાચાર્યની પાટે પરંપરાએ આવેલા છીએ એમ માને છે. પોતાને શંકરાચાર્ય પણ કહેવડાવે છે.
- ઉત્તરમાં આવેલા જ્યોતિપીઠમાં ઘણા વર્ષો પછી એ સ્થાનપીઠ ઉજ્જડ જેવું થઈ ગયું.
લગભગ દોઢસો વર્ષ પૂર્વે પ્રયાગના શંકરાચાર્યે આ સ્થાનનો પુનરુદ્ધાર કર્યો. એક મોટો બગીચો બનાવ્યો. તેમાં એક લાકડાનો વિશાળ મઠ પણ કર્યો. જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્યના
જ્યોતિપીઠના આચાર્ય તરીકે તેમની પ્રસિદ્ધિ પણ વારાણસીના વિદ્વાનોએ માન્ય કરી. આજે તેમની ગાદી ઉપર વાસુદેવાનંદ સરસ્વતી છે.
અમે વાસુદેવાનંદજીને મળવા ગયા. સંસ્કૃતમાં જ અમારો વાર્તાલાપ શરૂ થયો. અર્ધો-પોણો કલાક અથવા વધારે વાર્તાલાપ ચાલ્યો હશે. ખૂબ ખૂબ સદ્ભાવથી નિખાલસભાવે-મુક્તમને વાતો થઈ.
- બે મહિના ગ્રીષ્મઋતુમાં એ અહીં આવે છે. પછી તેમના સ્થાને પ્રયાગ (અલ્હાબાદ)માં ચાલ્યા જાય છે. ભિન્ન ભિન્ન સ્થળે
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org