________________
'હિમાલયની પદ યાત્રા-૨૧
ચોમાસાં કરે છે. ચોમાસામાં બે મહિના બહાર જતા નથી, જ્યાં રહ્યા હોય તે જ સ્થાનમાં તે જ નગરમાં રહે છે. આ વર્ષે મુંબઈમાં ચોમાસું કરવાના છે. તેમનો સ્થાયી નિવાસ પ્રયાગ (અલ્હાબાદ)માં છે.
તેમના સ્થાનની તંદન બાજુમાં જ દ્વારકા-શારદાપીઠના અધિપતિ સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું સ્થાન-મંદિર આદિ બનાવ્યું છે. એ કહે છે કે જ્યોતિપીઠનો શંકરાચાર્ય હું છું.
આ સ્થાનથી અર્ધો પોણો કિલોમીટર દૂર કરપાત્રીજીના શિષ્ય માધવાશ્રમે નૃસિંહ મંદિર પાસે એક સ્થાન બનાવ્યું છે. એમણે પણ પોતાના સ્થાનને જ્યોતિર્મઠ નામ આપ્યું છે. જ્યોતિપીઠના અધિપતિ તરીકે જ - શંકરાચાર્ય તરીકે જ એ પોતાને કહેવરાવે છે.
આમ અત્યારે જ્યોતિમઠમાં – જોશીમઠમાં ત્રણ શંકરાચાર્યો
વાસુદેવાનંદજીને મેં પૂછયું કે તમે પાસે પાસે જ રહો છો. પરસ્પર મળો છો ? કંઈ વાતો કરો છો ? જવાબમાં કહ્યું કે અમે બિલકુલ મળતા નથી. કોર્ટમાં કેસ પણ સ્વરૂપાનંદ સરસ્વતી સાથે ચાલે છે.
મેં પૂછયું કે આમ કેમ ? તમે તો અદ્વૈતવાદી છે. મને નિખાલસ દિલે હસતાં હસતાં કહ્યું કે અત્યારે તો નાનું સત્યમ, હીં મિથ્યા છે. ત્રિહી સત્યમ, નાન્મિથ્યા આ તો શાસ્ત્રની વાત છે.
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org