________________
હિમાલયની પદ યાત્રા-૨૧
ગુફામાં શંકરાચાર્યની સુંદર પ્રતિમા સ્થાપિત કરેલી છે. જરાપણ ફેરફાર વિનાનું આ શંકરાચાર્યનું નિશ્ચિત સ્થાન છે, એમ કહે છે. અહીં દિવ્યજ્યોતિ-દિવ્યજ્ઞાન પ્રગટ થવાને કારણે આ સ્થળે જ્યોતિપીઠની તેમણે સ્થાપના કરી હતી. અને તેમના શિષ્ય ત્રોટકાચાર્યને આ સ્થળે તેમણે જ આચાર્ય તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ગાદી ઉપર આવનારા બધા શંકરાચાર્ય જ કહેવાય છે. એટલે જ્યારે ખાસ કહેવું હોય ત્યારે જગદ્ગુરુ આદિ (આઘ) શંકરાચાર્ય શબ્દપ્રયોગ કરવામાં આવે છે. વર્ષો સુધી આ પીઠ ઉપર નવા નવા શંકરાચાર્યો આવ્યા.
આદ્ય શંકરાચાર્યે પ્રસ્થાનત્રયીગીતા, ઉપનિષદ્ તથા બ્રહ્મસૂત્ર ઉપર ૧૬ વર્ષની ઉંમરે અહીંજ ભાષ્યની રચના કરી હતી. બ્રહ્મસૂત્ર ઉપર તથા બીજા ગ્રંથો ઉપરનું શાંકરભાષ્ય વિશ્વમાં અત્યંત વિખ્યાત છે.
આદ્ય શંકરાચાર્યે ભારતમાં પશ્ચિમમાં દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી. ત્યાં હસ્તામલકાચાર્યને ગાદીએ બેસાડ્યા હતા.
પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠની સ્થાપના કરી હતી. ત્યાં પદ્મપાદ આચાર્યને ગાદીએ બેસાડ્યા.
દક્ષિણમાં રામેશ્વરમાં શૃંગેરીમઠની સ્થાપના કરી હતી. ત્યાં સુરેશ્વરાચાર્યને ગાદીએ બેસાડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org