________________
હિમાલયની પદ યાત્રા-૨૧
છે તેમાં રહે છે. ગુફામાં એકાંત છે. વાઘ-રીંછ-સર્પ-વીંછી આદિનું આવાગમન થતું હોય છે. પાંચ વર્ષથી એ ત્યાં રહે છે.
આ પ્રાણીઓ સાથે મને બહુ ફાવે છે. મને કંઈ ઈજા કરતાં નથી, પરંતુ માણસો સાથે મને ફાવતું નથી. માણસો મને મારા ધ્યાન આદિમાં વિક્ષેપ પાડે છે. વળી માણસો ફાલતુ નકામી વાતો કરીને પણ બહુ સમય બગાડે છે.'
આવી આવી કેટલીય વાતો કરી. એ સાંભળીને અમને ખૂબ જ ખૂબ આશ્ચર્ય થયું કે આવા આવા સાધકો પણ છે. એમને જવાની ઉતાવળ હતી. બદરીનાથમાં તમને કોઈકવાર મળીશ એમ કહીને એ છુટા પડ્યા.
અમે જોશીમઠમાં આવ્યા. વેદ-વેદાંગ સંસ્કૃત વિદ્યાલય નીચે એક છાત્રાલય છે તેમાં ઊતર્યા છીએ.
અહીં આવીને જોશીમઠના શંકરાચાર્યને મળવા માટે નીકળ્યા.
જોશીમઠનું મૂળ નામ જ્યોતિર્મઠ છે.
શંકરાચાર્ય લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે જ્યારે આ બાજુ આવેલા ત્યારે એક ઝાડ નીચે તેમને દિવ્યજ્ઞાન પ્રગટ થયેલું. તે ઝાડને કલ્પવૃક્ષ કહે છે. તેની પાસે જ એક ગુફા છે તેમાં શંકરાચાર્ય તપશ્ચર્યા-સાધના કરેલી હતી. તે ગુફા શંકરાચાર્યની તપઃસ્થલી તરીકે આજે પણ વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org