________________
પત્ર - ૨૧
જોશીમઠ
જેઠવદિ ૧/૧ વંદના.
પૈનીથી ૭ કીલોમીટર દૂર જોશીમઠ આવવા નીકળ્યા. ધીમો ધીમો પણ ચડાવ છે.
સડક પહાડોને આંટા મારતી પહાડોને વીંટતી વીંટતી આગળ વધે છે. પાછળ નીચે નજર નાખો તો સર્પાકારે સડકનાં ગૂંચળાં દેખાયા કરે.
પાણીથી ભરેલાં રૂપેરી વાદળાં નીચે, અને અમે ઉપર, અમારી બાજુમાં વાદળાંના ગોટેગોટા. સામેનો પહાડ પણ ન દેખાય, પહાડોની ટોચે પણ વાદળાં, આવાં અવનવાં દશ્યો નજરે પડતાં હતાં. પહાડ-વનસ્પતિ-ખીણનું સૌંદર્ય નવું નવું રોજ જોવામાં આવે છે. હવે એની મોહકતા રહી નથી. કારણ કે આ નવાં નવાં દશ્યો એ હવે રોજિંદી ચીજ બની ગઈ છે.
હા, તમારા જેવા કવિહૃદયી માણસો હોય તો પાનાંનાં પાનાં ભરાય એટલું લખી દે.
જોશીમઠ એકાદ કીલોમીટર બાકી હશે ત્યાં એક સંન્યાસી મળ્યા. ઋષિકેશમાં દિવ્યજીવન સંઘના ચિદાનંદજી સરસ્વતીના એ શિષ્ય હતા. શિવચૈતન્યાનંદ સરસ્વતી એમનું નામ છે.
જોશીમઠથી તપોવન તરફ છ કિલોમીટર દૂર એક ગુફા
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org