________________
હિમાલયની પદ યાત્રા-૧૮
કે રાત્રે યાત્રિકો આવવાના છે. જગ્યા બુક થઈ ગઈ છે. સાંજે ઉપાડવું પડશે. અમે તો ઊતર્યા. બધે સ્થળે પૈસાનો વ્યવહાર થઈ ગયો છે.
વિશ્વહિંદુપરિષદના કાર્યકર ત્યાં મદનલાલ તિવારી છે. મૂળ કુમાયુ જિલ્લાના છે. આજુબાજુના પહાડી લોકોને શિક્ષણ આપવા માટે ૬૦ સ્કુલો ચલાવે છે. તેમાં ત્રીસ લોનો ખર્ચ દર વર્ષે ત્રણ લાખ જેટલો આવે છે તે ઋષિકેશ પરમાર્થનિકેતનવાળા ચિદાનંદજી સરસ્વતી (મુનિજી) આપે છે. જ્યારે ચિદાનંદજી અમને ઋષિકેશમાં મળ્યા ત્યારે કહ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભારતમાં દસ હજાર સ્કુલો ચલાવવાની તથા કાશીના ચોરાસી ઘાટોને શુદ્ધ-સ્વચ્છ કરવાની મેં જવાબદારી લીધી છે. આ રીતે આ સંન્યાસીઓ લોકોપયોગી-સમાજઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા
છે.
ચિદાનંદજીએ વિશ્વ હિંદુ કોશ તૈયાર કરવાનું કામ પણ ઉપાડ્યું છે. આવતા વર્ષથી એનું મુદ્રણ શરૂ થશે એમ કહેતા હતા. કરોડો રૂપિયાનો ખર્ચ આ વિશ્વ હિંદુકોશ તૈયાર થવાનો છે, થઈ રહ્યો છે. આમાં જૈન-બૌદ્ધ શબ્દો પણ એ લઈ લેવાના છે. હિંદુ શબ્દથી વૈદિક-બૌદ્ધ-જૈન આદિ બધા પ્રાચીન ભારતીય સંપ્રદાયોને એમણે સમાવી લીધા છે.
વિશ્વહિંદુ પરિષદ દ્વારા ભૂકમ્પપીડિતોને રાહત આપવા વગેરેનું કામ પણ ચાલે છે.
६८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org