________________
પત્ર - ૧૮
પીપલકોટી જેઠ સુદિ ૧૩
વંદના.
જેઠ સુદિ ૧૩ સવારે નીકળ્યા નવેક વાગે વચમાં ભીમતલા, વિરહી વગેરે ગામ આવ્યાં.
વિરહી પાસે વિરહી ગંગા અલકનંદાને મળે છે. સફેદ દૂધ જેવી વિરહી ગંગા નદી છે. મોટો એનો પટ છે. ઊતરવા માટે કોઈ સ્થાન જ નહોતું. ક્ષેત્રપાલથી ૧૧ કિલોમીટર ચાલીને સમભાવ આશ્રમે આવ્યા. આશ્રમ મોટો છે. પણ આશ્રમવાળાઓએ કહ્યું કે અમારે ત્યાં કથા ચાલવાની છે. જગ્યા નથી. આશ્રમમાં ગુજરાતીઓએ ખૂબ પૈસા આપેલા છે. પૈસા આપનારાના નામોની યાદીથી ત્રણ ભીંતો ભરેલી હતી.
આશ્રમમાં જગ્યા ન મળી, એટલે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર વિશ્વહિંદુ પરિષદનું મકાન નારાયણ આશ્રમ આવે છે. ત્યાં લગભગ સાડા બારે પહોંચ્યા. હકીકતમાં સમભાવ આશ્રમમાં કથા હતી જ નહિ. પણ જગ્યા આપવી ન આપવી એ એમની મરજીની વાત હતી. પાછળથી જાણવા મળ્યું કે જૈનો, પંજાબીઓ તથા અંગ્રેજોને એ લોકો ઉતરવા માટે જગ્યા આપતા જ નથી.
વિશ્વહિંદુ પરિષદના મકાનમાં ઊતર્યા, પણ એમણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org