________________
હિમાલયની પદ યાત્રા-૧૭
Waste a minute, save a life, Life is short, do not make it shorter.'
છતાં અનેક મોટરો દોડે છે. સડક સિવાય સ્વયં માણસો ભાર લઈ જાય છે, અથવા ખચ્ચરો દ્વારા વ્યવહાર ચાલે છે.
મૈઠાણથી સાંજે આઠ કિલોમીટર દૂર ક્ષેત્રપાલ જવા નીકળ્યા. વચમાં પાંચેક કિલોમીટર દૂર બજાડ ગામ પાસે અનસૂયા નદીનો અલકનંદા સાથે સંગમ થાય છે. પછી ચમોલી ગામે આવ્યા. ચમોલી જિલ્લાનું મથક છે. પાંચેક હજાર માણસની વસ્તી હશે. ચમોલીથી પહાડ તરફ દશેક કીલોમીટર દૂર ગોપેશ્વર ગામ છે. ત્યાં પહાડમાં દશેક હજાર માણસની વસ્તી હશે, એમ અમને કહેવામાં આવ્યું. ગોપેશ્વર પહાડમાં વસેલું શહેર છે.
ચમોલીથી દૂર ક્ષેત્રપાલ બે કીલોમીટર આવ્યા. ત્યાં એક મકાનની અંદર હોલમાં સાધ્વીજી રહ્યાં. અમે બહાર પરસાળમાં સૂતા. શ્રાવકો વગેરે પરસાળ નીચે મેદાનમાં સૂતા.
પરસાળની ધાર ઉપર મારો સંથારો હતો. રાત્રે બાર વાગે ઊડ્યો. ખ્યાલ રહ્યો નહિ. પરસાળ નીચે હું તો પડ્યો. પણ ભગવાનની કૃપાથી કંઈ વાગ્યું નહિ. પછી એક કલાક બાદ વરસાદ જોરથી શરૂ થયો. શ્રાવકો સફાળા જાગ્યા. જેને જ્યાં જગ્યા દેખાઈ ત્યાં ભરાયા. સવારમાં આઠેક વાગે વરસાદ બંધ રહ્યો. પછી ત્યાંથી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org