________________
હિમાલયની પદ યાત્રા-૧૭
ઘણા ઋષિની સાધનાઓની, ઘણા દેવ-દેવીની અનેક કિંવદત્તીઓ સાંભળવા મળે છે. આ પ્રદેશમાં મુખ્ય પૂજા મહાદેવજીની છે. પાર્વતી સંબંધી ઘણી વાતો છે. બીજી દેવીઓ સંબંધી જાત-જાતની વિસ્મય ઉપજાવનારી વાતો મળે છે. આ દેવ-દેવીઓના સ્થાને અનેક મેળાઓ પણ ભરાય છે. પહાડની ટોચ ઉપર પણ આવા મેળાઓનાં હજ્જારો-લાખો માણસો આવે છે. એમને આ ચડાણઉતરાણ રમત જેવું લાગે છે.
આ પહાડી પ્રદેશમાં બળદગાડાં તો ચાલે એમ છે જ નહિ. ખચ્ચરથી જ બધો વ્યવહાર હોય છે. ખચ્ચરો ઘણો ઘણો ભાર ઉપાડી ચડી જાય છે. માણસો પણ માથે- ખભા ઉપર, ગર્દન ઉપર, કંડી (પીઠ ઉપર ઉપાડવાની કરડી-મોટો ટોપલો)માં ઘણો ભાર ઉપાડી જતા હોય છે.
સાઠ વર્ષ પહેલાં તો છ ફુટ જેટલો કાચો રસ્તો હતો. પછી બદરીનાથને કારણે કાચી સડક થઈ. નાનાં-નાનાં વાહનો જતાં હતાં. તે પછી ચીનની લડાઈ થયા પછી પાકી મોટી સડક બનાવવામાં આવી છે. મોટા મોટા ખટારાઓ જઈ શકે છે. જાય છે. એક બાજુ વિકરાળ ઊંચા ઊંચા પહાડો, બીજી બાજુ સેંકડોહજારો ફુટ ઊંડી ખીણ અને તેમાં વહેતી ગંગા નદી (અલકનંદા આદિ વિવિધ નામે) એટલે બહુ જોખમી માર્ગ છે, ઠામ ઠામ સાવધાનીનાં જુદાં જુદાં બોર્ડે લખાવેલાં હોય છે.
ધીમે ચાલો, ઉતાવળ શી છે,
૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org