________________
હિમાલયની પદ યાત્રા-૧૭
હોટલની પરસાળમાં જરાક બેસવા ગયા હતા. હોટલનો માલિક બહુ વિદ્વાન અને જાણકાર હતો.
એમનું નામ યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રી, પછી અમારી સાથે સંસ્કૃતમાં વાતો ચાલી. આપણા ચંદ્રપ્રભચરિત્રને વાંચ્યું છે એમ કહેતા હતા. કાશીમાં સંસ્કૃત ભણેલા છે. પોતે કથાકાર પણ છે. કથાઓ કરવા જાય છે. છોકરાઓ હોટલ ચલાવે છે. કોઈ છોકરાને એડવોકેટ, કોઈને સી.એ. (ચાર્ટડ એકાઉન્ટન્ટ), કોઈને આર્ટીસ્ટ એમ બધાને ભણાવ્યા છે. ઇતિહાસના જાણકાર છે. સહૃદયી સજ્જન છે.
અમે આગલા દિવસે સાંભળ્યું હતું કે આટલામાં રાવણે એક પર્વત પર ખૂબ તપશ્ચર્યા આરાધના શિવજીની કરી હતી. અમારી જિજ્ઞાસા તો હતી જ. રાવણ-મંદોદરીએ અષ્ટાપદ ઉપર ખૂબ પ્રભુભક્તિ કરી હતી. અને રાવણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. એટલે અમે એમને પૂછ્યું કે આટલામાં રાવણે તપશ્ચર્યા ક્યાં કરી હતી?
યોગેશ્વરપ્રસાદ શાસ્ત્રીએ કહ્યું કે અગ્નિકોણમાં આ નંદપ્રયાગથી એક તરફ ઘાટ છે. તે તરફ નંદપ્રયાગથી અમુક સ્થળ સુધી મોટર જાય છે. પછી પગે ચાલીને જવું પડે છે. ત્યાં વેરાસકુંડ નામે સ્થાન છે. ઘાટ ઉપર હોવા છતાં, ઉપર એકાદ કિલોમીટર કે એકાદ માઈલ જેટલું વિશાળ મેદાન છે. ત્યાં મંદિર, ધર્મશાળા, આશ્રમ આદિ ઘણું છે. મોટું તીર્થસ્થાન છે. હજારો-લાખો માણસો
૬ 3 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only