________________
હિમાલયની પદ યાત્રા-૧૭
પર્વતની તળેટીમાં નદી પાસે, પહાડની મધ્યમાં, પાંચ-પાંચ કીલોમીટર ઊંચે પહાડની ટોચમાં ગામો હોય છે.
ઘરો પણ ઊંચે-નીચે હોય છે. આપણને થાય કે આવા ગામોમાં ચડવું પણ આપણને ભારે ભારે થઈ પડે છે. ત્યાં આ લોકો હજારો વર્ષોથી રહેતા આવ્યા છે. એ શી રીતે બનતું હશે. પણ આ લોકોને કશું જ ખાસ લાગતું નથી. આ લોકો તદન ટેવાઈ ગયા છે. ટોચ ઉપર રહેનારા માણસો જરૂર પડે ત્યારે અઠવાડિયે પખવાડિયે નીચે ઊતરતા હોય. ડુંગરમાં ઉપર જ પહાડના ઢોળાવોમાં એમની ખેતી, ત્યાં જ તેમનાં ઢોર-ઢાંખર, ત્યાં જ તેમનાં આગળપાછળ ઊંચાં-નીચાં મકાનો. ત્યાં જ તેમની જિંદગી.
આપણાં શાસ્ત્રોમાં ભિક્ષા વહોરવા માટે, ગોચરી વહોરવા માટે ઉપર આટલે સુધી જવું, નીચે આટલે સુધી જવું, આ બધી જે વાતો આવે છે તેનો અહીં સાક્ષાત્કાર થાય છે. આવા પહાડમાં ઉપરનીચે-મધ્યમાં પાર વિનાનાં ગામો આ પ્રદેશમાં છે.
અત્યારે ઉત્તરાખંડ (ઉત્તરાંચલ) નવા રાજ્યની વાત ચાલે છે. આ પહાડી રાજ્યની એંસી-નેવુ લાખ માણસની વસ્તી છે. એટલે શાસ્રની વાતોનો સાક્ષાત્કાર થયો જાણી ખૂબ ખૂબ આનંદ થયો.
સોનલાથી મૈઠાણમાં જ્યાં ઊતર્યા હતા તેની જોડે જ હિમાની હોટેલ હતી. અમારા સ્થાનમાં ખૂબ સંકડાશ હતી એટલે
૬ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org